SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^^ ^^^^^^ ૧૭૪ શ્રાદ્ધગુણ વિવરણ. ચંપાપુરીમાં સાગર નામે એક શેઠ હતું. તેને ચાર પુત્ર અને તેમની ચાર વહૂઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી. પોતે કૃપણ હોવાથી તૃઘણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળો સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતે હતે. જે ઘરનું કેઈપણ માણસ તેની દૃષ્ટિએ મને હર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે સ્નાન દાન વિગેરે કરે તે તેની સાથે તે અહોનિશ કછ કરતે. વધારે તે શું પણ કઈ અનાજની કણવૃત્તિ પણ આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠીયાને સઘળે પરિવાર હેરાન થવા લાગે. પછી શેઠના પુત્રની ચારે વહૂઓ જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ભેજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી અને સર્વ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહૂઓને એક ગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ગિનીએ તે વહુએને આકાશગામીની વિદ્યા આપી તે પછી પશુને બાંધવાના સ્થાનમાં રહેલા એક મહેટા કાષ્ટ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સવ ઠેકાણે કીડા કરી પાછલી રાત્રે આવી તે કાષ્ટને જ્યાં ત્યાં નાંખી સુઈ ગઈ. એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દોહવાની ફિકર કરનાર અને કાષ્ટનું જ્યાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નોકરે રાત્રિમાં ગુપ્ત ગતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેના જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે આવતી કાલે હું તપાસ કરીશ કે આ વહુઓ કયાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સવ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ટના પિલામાં પ્રવેશ કરીને બેસી રહ્યો. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાષ્ટ આકાશમાં ચાલ્યું અને અનુક્રમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડા ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નેકર પણ કાષ્ટથી બહાર નીકળી અને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે, તે જોઈ વિસ્મય પામે. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવર્ણ ગ્રહણ કરી તે નકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટના પોલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાષ્ટ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ ક્ષણમાત્રમાં પોતાના સ્થાનમાં આવી કાષ્ટને ત્યાગ કરી પોતપોતાની શય્યામાં સુઈ ગઈ. આવી રીતે કરતાં કેટલાએક કાળ વ્યતીત થએ છતે તે નેકર સુવર્ણના બળથી ઘરનું કાર્ય કરતું નથી અને સાગર શેઠની સામું બોલવા લાગ્યા. આથી ધૂર્ત શેઠીયાએ વિચાર કર્યો કે, આ સેવકને કાંઈપણ પ્રાપ્ત થયું છે એમ મને શંકા છે. પછી તે શેઠીયાએ એક વખતે એકાંતમાં કમળ વચનેથી એવી રીતે કહ્યું કે જેથી તે નોકરે વહુઓને તમામ વૃત્તાંત પિટમાં નહી જયંથી પ્રગટ કરી દીધો. પછી આજે હું તપાસ કરીશ ત્યારે કેઈને કહેવું નહીં, એમ શેઠે નોકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે કાણના પિલાણમાં રહે. પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ટ સુવર્ણદ્વીપમાં પ્રાપ્ત થયું. પછી શ્રેષ્ઠી પિલાણમાંથી
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy