SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ • શાહગુણ વિવરણ વર્ણન કરું છું. તેમાં પ્રથમ પરતીથિકોને નામ માત્રથી ઓળખાવે છે. બદ્ધ, વૈષ્ણવ અને શિવ એ દરેકના ચાર ચાર ભેદે છે. અને કપિલ મતાવલંબી તથા કલમતાવલંબી (વામી) ની અપેક્ષાએ મીમાંસકના બે ભેદે છે. હવે ઉપરોકત પરતીથિઓ પ્રત્યેનું કર્તવ્ય કહે છે. ઉપર જણાવેલા પરતીથિઓ પોતાને ઘેર ભિક્ષા નિમિત્તે પ્રાપ્ત થયા હોય તે તેમનું ઉચિત કાર્ય કરવું. તેમાં પણ રાજાના પૂજનિકેનું તે વિશેષપણે ઉચિત આચરણ કરવું. અહિં કઈ શંકા કરે કે અસંયતી એવા પરતીથિઓનું ઉચિત આચરણ શા માટે કરવું જોઈએ? એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર મહારાજ કહે છે કે યદ્યપિ ચિત્તમાં ભકિત ન હોય, તેમનામાં રહેલા ગુણેની અંદર પક્ષપાત ન હોય તે પણ પિતાને ઘેર આવેલા પરતીથિઓનું ઉચિત આચરણ કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આ વ્યવહાર એક દર્શનવાળાએજ અનુસરે છે. અમે નહીં પરંતુ આ વ્યવહાર સવ દશનવાળાને સમ્મત છે એ હેતુથી કહે છે કે ઘેર આવેલા. પરતીર્થિઓનું ઉચિત આચરણ કરવું તથા કષ્ટમાં પડેલાઓને ઉદ્ધાર કરે અને દુઃખી થએલા પરતીથિઓના ઉપર દયા લાવવી એ ધર્મ સર્વ મતાવલંબીઓને સમ્મત છે. વ્યાખ્યા-“પુરૂષની અને ક્ષિાએ ઘેર આવેલા પરતીર્થિઓને મીઠા વચનથી બોલાવવા, આસન આપવું, આમંત્રણ કરવું અને તેમનું કાર્ય કરી આપવું. વિગેરેને ઉચિત આચરણ કહે છે. બાકીને અર્થ સ્પષ્ટ છે.” હવે ઉચિત આચરણના ફળને પ્રગટ કરે છે. પૂર્વે જણાવેલી યુતિથી પિતા અને માતાનું ઉચિત આચરણ કરનારા અને પ્રસન્ન મુખવાળા પુરૂષ જૈનધર્મના અધિકારી થાય છે. અર્થાત સમકિત, દેશવિરતિ અને સર્વ વિરતિરૂપ જૈનધર્મને એગ્ય થાય છે. જે પુરૂષે ઉપર જણાવેલા નવ પ્રકારના લૈકિક એવા પણ ઉચિત આચરણ માત્ર કાર્યને વિષે તત્પર થતા નથી, તે પુરૂષ લોકોત્તર પુરૂષની તીક્ષણ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય, તેવા જૈનધર્મને વિષે કેવી રીતે પ્રવીણ થાય? તેથી સર્વ ગુણોની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રથમ ધર્માર્થી પુરૂષે અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું જોઈએ. ઉત્તમ પુરૂષને ઉચિત આચરણની પ્રવૃત્તિ સ્વાભાવિક હોય છે, તે દેખાડે છે. “જેમ સમુદ્ર મર્યાદાને ત્યાગ કરતા નથી, પર્વતે પોતાના સ્થાનથી ચલાયમાન થતા નથી તેમ ઉત્તમ પુરૂષો કદિપણ ઉચિત આચરણનું ઉલ્લંઘન કરતા નથી.” તેજ વાતને દષ્ટાંતથી દઢ કરે છે. જગના ગુરૂ તીર્થકરે પણ ગ્રહસ્થાવસ્થામાં પોતાના માતા પિતાનું અસ્પૃસ્થાનાદિક ઉચિત આચરણ અવશ્ય કરે છે. વ્યાખ્યા-“જેણે ત્રણ જગ ના લેકેની કાંઈપણ પરવા નથી તેવા જગદગુરૂ તીર્થકરેએ પણ જ્યારે ઉપરેકત રીતિ એ પોતાના માતા પિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે, ત્યારે બીજા સામાન્ય પુરૂષએ તે અવશ્ય વિશેષેપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરી જોઈએ. જેથી વિશેષ ધર્મને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કે
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy