SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ વળી “હળ, યાન, ગંલી, અરઘટ, યંત્ર, કાંટાળુ, વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દુધવાળાં વૃક્ષ એ સર્વેનાં કાષ્ટ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવો જોઈએ. બીજોરી, કેળ, દાડિમ, જખીર, દેહલિદ્ધ, આંબલી, બાવળ, બેરડી અને ધંતૂરાના કાષ્ટને પણ ત્યાગ કરે. ઉપર જણાવેલા વૃક્ષનાં મૂળીયાં પડેશને લીધે જેના ઘરમાં ગયાં હેય, અને તેમની છાયા જેના ઘર ઉપર પડતી હોય તેના કુળને નાશ થાય છે. પાષાણમય સ્તંભ, પાટડા, છત, બારસાખ અને ઉત્તરંગ એ સર્વે ગૃહોને હાનિ કારક છે, પણ ધર્મ સ્થાનમાં તે સુખ આપનાર છે. પાષાણમય પ્રાસાદ કે ઘરમાં કાષ્ટના સ્વભાદિકને અને કાષ્ટમય પ્રાસાદ કે ઘરમાં પાષાણના તંભાદિકને ગૃહસ્થાએ પ્રયત્નથી ત્યાગ કરે જોઈએ. દેવમંદિર, કૂપ, વાપિકા, મશાન, મઠ, અને રાજમંદિરના પાષાણુ, ઈટે અને કાષ્ટ ગૃહસ્થ બાંધકામમાં સરસવમાત્ર પણ લેવાં રોગ્ય નથી. ગોળાકાર, ખુણરહિત, સાંકડું, એક બે કે ત્રણ ખૂણાવાળું અને દક્ષિણ તથા વામ બાજુ દીર્ઘ હોય એવા ઘરમાં વાસ કરે એગ્ય નથી. જે ઘરનાં દ્વાર આ પિ આપ બંધ થાય છે, અને ઉઘડે છે તે અશુભ ગણાય છે અને ઘરનાં મૂળ દ્વારમાં ચિત્ર તથા કળશ આદિની વિશેષ શેભા કરવી તે શુભ ગણાય છે. જોગણીનાં નાટક, ભારત, રામાયણ, રાજાનાં યુદ્ધ, સાષિચરિત્ર અને દેવચરિત્રનાં ચિત્રો ઘર ઉપર ચિતરવાં એગ્ય નથી. ફળયુક્ત વૃક્ષ, પુષ્પ, વેલડી, સરસવતી, નવનિધાન યુક્ત લક્ષમી, કળશ, વધામણું અને સ્વપ્નની શ્રેણિ એ મકાન ઊપર ચિતર્યા હોય તે તે શુભ ગણાય છે. મકાન પુર્વ તરફ ઉન્નત હોયત દ્રવ્યની હાનિ કરનાર, દક્ષિણ તરફ ઊજત હાયતે દ્રવ્યની સમૃદ્ધિ કરનાર, પશ્ચિમ તરફ ઊજત હોય તે વૃદ્ધિ કરનાર અને ઉત્તર તરફ ઉન્નત હેય તે વસ્તીને નાશ કરનાર થાય છે. નગર કે ગામના ઈશાનાદિક કેણમાં ઘર બાંધવું નહીં, કારણ કે તે સત્પરૂષને માટે અશુભ ગણાય છે. પણ અંત્યજ જાતિને માટે તે ઋદ્ધિ કરનાર થાય છે. ” વળી ઘરમાં લક્ષમીની વૃદ્ધિ કરવાને ઉપાય આ પ્રમાણે છે– “જે ઘરમાં વેધાદિક દેષ ન હોય, સઘળો કાટમાલ ન હોય, ઘણાં દ્વાર ન હિય, ધાન્યને સંગ્રહ હય, જ્યાં દેવતા પૂજાતા હેય, આદર પૂર્વક ઉત્સવ થતું હોય, રક્ત વર્ણની યવનિકા હેય, સારી રીતે ઘરને કચરે દૂર થતે હેય, મોટા નાના વિગેરેની સારી વ્યવસ્થા હોય, સૂર્યનાં કિરણે પ્રવેશ ન કરતા હોય, દીપક બળ હેય, રેગીનું પાલન થતું હોય અને શ્રમ પામેલાની ચાકરી થતી હોય તેવા ઘરમાં લયમી વાસ કરે છે.” ઘરની વ્યવસ્થા નીચે જણુંવ્યા પ્રમાણે હેવી જોઈએ. તેને માટે વિવેક વિલાસમાં કહ્યું છે કે –
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy