SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 5 - - - - ષષ્ટ ગુણ વર્ણન. ગુણ અને બીજાને દેષ કહેવા માટે, પરની યાચના કરવા માટે અને યાચકને નિરાસ કરવા માટે સત્પની જીન્હા જડ બની જાય છે, અર્થાત્ આવા પ્રસંગે સત્પરૂ માનજ ધારણ કરે છે. કારણ કે પરની નિંદા કરવી એ એક મહાન્ પાપ છે. વળી વધારે આશ્ચર્ય તો એ છે કે પિતે નહીં કરેલાં પણ બીજાના પાપ,નિંદા કરના. રી વૃદ્ધ બ્રાહ્મણની પેઠે, નિંદા કરનારને લાગુ થાય છે. તે વૃદ્ધ બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છે – કોઈ સારા ગામમાં દાનેશ્વરી અને લોકપ્રિય સુંદર નામે શ્રેણી રહેતે હતે. કહ્યું છે કે- “પ્રજાને દાતાજ પ્રિય હોય છે, પણ ધનવાન પ્રિય હેતું નથી. જોકે આવતા વર્ષાદને ઈરછે છે; પણ સમુદ્રને કેઈ ઇચ્છતું નથી;” અર્થાત્ જેમ વર્ષાદ જળ આપીને, અને દાતા દાન આપીને, પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે, તેથી લેકે તે બન્નેને ઈચ્છે છે તેમ સમુદ્ર પાસે પુષ્કળ જળ, અને ધનવાન પાસે પુષ્કળ દ્રવ્ય છતાં કોઈના ઉપગમાં આવતું નથી, તેથી લોકો આ બન્નેને ઈચ્છતા નથી. તે સુંદર શેઠની એક પાડોશણ બ્રાહ્મણ શેડની આ પ્રમાણે નિંદા કરવા લાગી કે “આ શેઠને ઘેર પરદેશી લોકો આવે છે, અને તે આ શેઠને ધમીં જાણી પિતાનું દ્રવ્ય થાપણ મુકી જાય છે, અને કેટલાએક આ શેઠને વ્યાજે આપી જાય છે. જ્યારે તે પરદેશમાં મરણ પામે છે ત્યારે આ શેઠને ઘેર ઉત્સવ થાય છે. માટે એ ધમી છે તે જાણે.” એક વખત રાત્રિના સમયમાં સુધાથી પીડાયેલ કેઈ કાર્પેટિક (યાત્રાળુ) સુંદર શેઠને ઘેર આવ્યું, પણ તે વખતે આ શેઠના ઘરમાં ભેજન કે પાન કરવા જેવું કાંઈ હતું નહિં, તેથી તે દાન વ્રતને ધારણ કરનાર દાતાએ ભરવાડણને ઘેરથી છાશ લાવી તેને પાઈ. આથી તે અચાનક મરણ પામે; કારણ કે ભરવાડણના મસ્તક ઉપર રહેલા છાશના ભાજનમાં સમડીએ નીચે પકડી રાખેલા હેટા સર્પના મુખમાંથી પડેલા ઝેરથી તે છાશ મિશ્રિત થયેલી હતી. સવારમાં તે કાપેટિકને મરણ પામેલ જોઈ તે વૃદ્ધ બ્રાહ્મણી ખુશી થઈકહેવા લાગી કે, “દ્રગ્યના લેભથી વિષ આપનાર આ દાતાનું ચરિત્ર જોયું કે ?' આ અરસામાં તે યાત્રાળુની હત્યા ભમે છે, અને વિચાર કરે છે કે હું કોને વળગું? “ દાતાને આત્મા નિર્મળ છે, સર્પ અજાણ અને પરવશ છે, સમડી પણ સપને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ અજાણ છે તે હારે કેને વળગવું?” એવી રીતે વિચાર કરતી હત્યા તે નિંદા
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy