SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. લક્ષમી પ્રાપ્ત થતી નથી રોગી છતાં અપથ્યનું સેવન કરનાર, હિતશિક્ષા આપનાર ઉપર દ્વેષ રાખનાર અને નિરોગી છતાં ઔષધ ખાનાર પુરૂષ ખરેખર મરવાને ઈચ્છછે એમાં સંદેહ નથી. જકાત આપી ઉલટે રસ્તે ચાલનાર, ભેજન વખતે ક્રોધ કરનાર અને પિતાના કુળ અહંકારથી સેવા નહીં કરનાર આ ત્રણેને મંદ બુદ્ધિ સમજવા. બુદ્ધિહીન છતાં કાયની સિદ્ધિ ઈચ્છનાર, દુઃખી છતાં સુખના મનોરથ કરનાર અને કરજ કરી સ્થાવર મિલક્તને ખરીદનાર આ ત્રણેને મુર્ખ પુરૂના સરદાર જાણવા. મનહર સ્ત્રી છતાં પરસ્ત્રીની ઇચ્છા કરનાર, ભેજન તૈયાર છતાં ગમન કરનાર અને નિર્ધન છતાં ગેષ્ટિ કરવામાં અત્યંત આસકત હોય, તે પુરૂષ મુર્ખને શિરેમણી ગણાય છે. કીમીયામાં દ્રવ્ય જેનાર, રસાયનમાં રસિક થનાર અને પરીક્ષા માટે વિષ ભક્ષણ કરનાર આ ત્રણે અનર્થને પ્રાપ્ત થાય છે. જેના દેષ જાણીતા હોવા છતાં તેની સ્લાધા કરનાર, ગુણીના ગુણની નિંદા કરનાર અને રાજા વિગેરેને અવર્ણવાદ બોલનાર પુરૂષ તત્કાળ અનર્થનું ભાજન થાય છે. કદિ શ્રમ થયે હોય તે પણ આત્માનું કલ્યાણ ઈચ્છનાર પુરૂષે મહિષ, ખર અને ગાયની ઉપર આરોહણ કરવું નહીં. કેદખાનામાં તથા વધસ્થાનમાં, જુગાર રમવાના સ્થાનમાં, પરાભવના સ્થાનમાં, ભાંડાગારમાં અને નગરના અંતેઉરમાં જવું નહીં. ઈત્યાદિ ઉત્તમ કાચારનું સેવન કર્યું હોય તે તેનાથી પ્રાયે કરી આલોકમાં ખરેખર યશ, હેટાઈ અને શભા વિગેરેની વૃદ્ધિ થાય છે. તેમજ લોકોને તે માન્ય હેવાથી કરવા ધારેલાં ધર્મ કાર્યોની સિદ્ધિ પણ સુખેથી થાય છે, અને જે તે લોકાચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે તે દેશના રહેવાસી લેકેની સાથે વિરોધ થવાને સંભવ હેવાથી ધર્મકાર્યમાં વિદ્મ આવી પડે છે. કહ્યું છે કે 'व्यतीकमस्तु मा वास्तु, लोकोक्तिस्तु सुदुस्सहा । नज्यतां नाजनं मा वा, टणत्कारस्तु मारयेत् ॥२॥" શબ્દાર્થ – અસત્ય હોય અથવા તે સત્ય હોય પરંતુ લેકેકિત તે અતિ દુઃસહ્ય હોય છે. પાત્ર ( વાસણ ) ભાગે કે ન ભાગે પણ લેકે તે કેરે મારે છે જ ૧” જનક્તિને લોક કહે છે અને તે પ્રવાહથી શાશ્વત છે, તેના આચારથી વિરૂદ્ધ હેય તેને લેક વિરૂદ્ધ જાણવું. લોકાચારથી વિરૂદ્ધ કરનાર મનુષ્ય એકદમ લઘુતાને પ્રાપ્ત થાય છે અને લઘુતાને પ્રાપ્ત થયેલે મનુષ્ય પણ તરણાની પેઠે નકામે થાય છે.
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy