SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ | દુર્જનતા કીર્તિનો નાશ કરે છે. અજ્ઞાનીનો સંગ મોટાઈનો નાશ કરે છે. મહારોગ શરીરનો નાશ કરે છે. કુપુત્ર નિર્મળ કુળનો નાશ કરે છે. ચિંતા મનની પ્રસન્નતાનો નાશ કરે છે. કામાસક્ત પુરુષ સ્ત્રીના શીલનો નાશ કરે છે. કપટ પુણ્યનો અને અધમપણું ગુણોનો નાશ કરે છે પરંતુ જે માણસોએ આ જગતમાં ચોરી કરીને ધન મેળવ્યું છે તેઓએ તો આ બધાનો જ નાશ કર્યો છે. I૧૪ રા. જે લોકોએ અન્યના ધનને લઈને (ચોરીને) પોતાના ઘરમાં લક્ષ્મીની પૂર્ણતા ઈચ્છી છે તેઓએ સર્પોના વિષમ વિષને ખૂબ ખાઈને જીવિતને ઈચ્છયું છે. સાગરના ખારા પાણીને પીને તરસ છીપાવવાની ઈચ્છા રાખી છે તથા આંખોમાં ભાલાની અણીને નાંખીને આંખની ચળનો નાશ ઈયો છે. ll૧૪૩ સ્ત્રીઓના ભરાવદાર સ્તનો ઉપર જેમ હાર, કેડ ઉપર જેમ કંદોરો, ગાલ ઉપર જેમ કુંડલ અને આંખોમાં જેમ કાજળ ભૂષણરૂપ થાય છે તેમ કીર્તિનો નાશ કરનાર નહી આપેલા પરધનનો ત્યાગ કરનારા પુણ્યશાળી પુરુષોના ચરણની રજ પૃથ્વીના ભૂષણરૂપ થાય છે. ૧૪૪ના
SR No.022011
Book TitleKasturi Prakar
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2013
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy