SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૨૧ ગોવિંદ ૩ જાનાં વણું (દિન્ડોરી તાલુકામાં)નાં તામ્રપત્રો શ. સં. ૭૩૦ . સુ. ૧૫ આ તામ્રપત્રો જ. ફ. એ. સે. (એ. સી. ) . ૫ પા. ૩૪૩ મે મી. વેધને પ્રસિદ્ધ કર્યો છે. રો. એ. એ. ની મુંબઈ શાખામાં અસલ તામ્રપત્ર છે, તેના ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છઉં. પતરાં ત્રણ છે અને ૧૦” લાંબાં અને ૭” પહોળાં છે. વચમાંથી તેનાથી જરા ઓછાં પહોળાં છે. કેર જરા જાડી રાખેલી છે અને પતરાં સુરક્ષિત છે. બીજ પતરાની બીજી બાજુએ મધ્ય ભાગમાં લેખ જરા ઘસાએલ છે. અંગ્રેજી પુસ્તકનાં પાનાંની માફક ફેરવીને વાંચી શકાય એવી રીતે પતરાં કોતરેલાં છે. કડી“ઇંચ જાડી ૪” વ્યાસવાળી છે. તેના પરની સીલ ગેળ છે અને તેને વ્યાસ ૨ ઈંચ છે. દક્તિદુગ અને ગેવિન્દ ત્રીજાનાં બીજું પતરાંમાં હોય છે તેવી જ બેઠેલી શિવની મૂર્તિ સીલમાં કોતરેલી છે. ભાષા સંસ્કૃત જ છે. આ પતરાંમાંના ૧૭ શ્લોકો રાધનપુરનાં પતરાંમાં પણ છે ઉપરાંત આમાંના છ અને સાતમા સ્લેકની વચમાં રાધનપુરનામાં એક લેક વધુ છે. તે અવારનવારથી શરૂ થાય છે. અને તેમાં એક તરફ પિતાનું લશ્કર અને બીજી બાજુ સમુદ્ર વચ્ચે પલને ધેર અગર પ્રવે ઘેરી લીધાનું અને તેના હાથીએ પડાવી લીધાનું વર્ણન છે. આમાંના અગીયારમો લેક પાંચ પાદવાળે હેઈને તેને તરજુમે બરાબર થઈ શકતું નથી. તે રાધણુપુરનામાં ચાર ચાર પાના બે કલેકમાં આપેલ છે. આમાંના ૧૨ માં અને ૧૩ મા શ્લોકની વચમાં રાધનપુરનામાં એક વધુ કલેક છે. તે સંપાવાગુસ્કીમુબાજુ થી શરૂ થાય છે અને તેમાં ગોવિંદ ૩ જા પાસેથી ગુર્જર રાજ નાશી ગયાનું વર્ણન છે. આમાંના ૧૬ મા અને ૧૭ માં લેકની વચમાં રાધનપુરનામાં જેવારથી શરૂ થતા એક વધુ કલેક છે. તેમાં ગાવેદે મેકલેલા દૂતે અરધ સંદેશે આપે ત્યાં પિંગીના રાજા આવ્યો અને ગવદ ૩ જાને માટે તેને નોકરની માફક વર્યો અને કિલ્લાની દીવાલ બંધાવી દીધી. ગુર્જર રાજા અને વૈગીપતિ એટલે કે પૂર્વના ચાલુક્ય રાજા વિજ્યાદિત ઉર્ફે નરેન્દ્રમૃગ રાજનું વર્ણન આમાં નથી, તેથી એમ અનુમાન થાય છે કે આ બે દાનપત્રોની તિથિઓની વચમાં ગોવિંદ ૩ જાએ તેઓને જિત્યા હશે. આ દાન રાજધાની મયૂર ખડીમાંથી આપવામાં આવેલ છે, વણીની ઉત્તરમાં મોરખલ્ડને ડુંગરી કિલે તે મયૂરખડી હશે, એમ ડો. બુલર માને છે. દાનની સાલ શ. સં. ૭૩૦ (ઈ. સ. ૮૦૬–૭) છે અને વ્યય સંવત્સર આપેલ છે. નાશિક દેશના વટનગર વિષયમાંનું અમ્બક ગ્રામ દાનમાં આપેલું છે. અમ્બક ગ્રામ તે વણીની દક્ષિણમાંનું હાલનું અખે છે અને લેખમાંનું પુલિન્દા ઉપરનું વારિખેડ તે ઉનન્દા ઉપરનું હાલનું વરખેડ ધાર્યું છે. બીજા સ્થળે ઓળખાયાં નથી. વટનગર તે કદાચ હાલનું વણી હેય. ૧ ૪. એ. છે. ૧ ૫, ૧૫૬ ડે છે. એક ફલીક For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy