SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૦ ૧૧૫ રાએ જ છે. જેની માફક તેના સ્થિતિમાં એવી છે. અને ઇલાતાં તરકામ સારું છે. ઊંડા કેવધિ માં બે દ૬ ૨ જા અથવા પ્રશાન્તરાગનાં બગુમ્રાથી મળી આવેલાં તામ્રપત્રો | (શક) સંવત ૪૧૫ જ્યેષ્ઠ વદિ ૧૫ નીચે આપેલો લેખ બે તામ્રપત્રો ઉપર કોતરેલે છે. આ પતરાં થોડાં વર્ષ ઉપર વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના પલસાણ તાલુકાના બગુમા ગામમાંથી મળ્યાં હતાં. તે તથા ઈ. એ . ૧૨ પા. ૧૭૯-૧૯૦માં અને વિ, ૧૨ પા. ૬૫-૬૯ માં પ્રસિદ્ધ થયેલ બીજાં પતરાં એ મને તથા ડૉ. ઈ. હુશૈને રાવ. સાહેબ મેહનલાલ. આર. ઝવેરી મારફત મળ્યાં હતાં. આની શોધની હકીકત પ્રથમ લખાણુમાં આપી છે. પતરાંઓનું માપ આશરે ૧૦*૪૭” છે. અને જાડાં ” છે. વજનદાર કડીઓ સુરક્ષિત સ્થિતિમાં તેની મૂળ જગ્યાએ જ છે. જમણી બાજુની કડીને મુદ્રા લગાડેલી છે. એ જ રાજાનાં પ્રસિદ્ધ થયેલાં ઉમેટા અને ઇલાવનાં પતરાંઓની માફક તેના ઉપર “શ્રી દદ” લેખ અને એક ચેરસ ચિહ્ન છે, જે સમજાતું નથી. કોતરકામ સારું છે. અક્ષરે ઉડા કોતરેલા અને સ્પષ્ટ છે. ફક્ત થોડા ને જ બહુ નુકશાન થયું છે, અગર કાટથી નાશ પામ્યા છે. લિપિ બીજાં બે દાનપત્રોની લિપિને બહુ જ મળતી આવે છે, “વાસન” (પૃ. ૧) શબ્દમાં ' નું ઉતાવળથી લખેલું રૂપ લખ્યું છે. તે ન જેવું લાગે છે. રાજાની સહિ પ્રાચીન નાગરી અક્ષરોમાં લખેલી છે. આ અક્ષરો ઉમેટાનાં દાનપમાં પણ છે. જોડણી અને વ્યાકરણ બીજું બે દાનપત્રો જેટલાં જ ખરાબ છે. આને પહેલો ભાગ તે દાનપત્રો સાથે અક્ષરશઃ મળતો આવે છે. આ નવા દાનપત્રની હકીક્ત આ પ્રમાણે છે. મહારાજાધિરાજ શ્રી દ૬ ૨ જે, જેણે પંચ “મદારીનો' મેળવ્યા હતા, જે શ્રીજયભટનો પુત્ર અને શ્રી દ૬ ૧ લાનો પૌત્ર હતો. તેણે એક બ્રાહ્મણુને તથ---ઉમ્બરા નામનું ગામ શકે ૪૧૫ ના જ્યેષ્ઠ શુદ્ધ અમાસને દિવસે થયેલાં સૂર્યગ્રહણ વખતે તે દિવસે દાનમાં આવ્યું છે. આ ગામ તથ–ઉમ્બરાના XTER સ્કિરા અથવા પ્રાંતમાં આવ્યું છે. તેની સીમા:-પૂર્વે ઉષિલકણું ગામ, દક્ષિણે ઈષિ, પશ્ચિમે સાંકિય, અને ઉત્તરે જરવદ્. દાન મેળવનાર ભટ્ટ મહીધરનો પુત્ર ભટ્ટ ગોવિન્દ હતો. તે કાન્યકુજના ચતુર્વેદિઓ, એટલે ગુજરાતના કને જીઆ બ્રહ્માની જ્ઞાતિને, કૌશિક ગેત્રને અને છોગશાખાના અનુયાયીઓના એક મતને હતે. આ ગામ તેને પંચમહા યજ્ઞો અને બીજી કેટલીક ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવા માટે આપ્યું હતું. દાનની શરતે હંમેશમુજબની છે. દાનપત્રનો લેખક રાજાને સેવક દેવાદિત,—અથવા તેનું ખરું રૂપ-રેવાદિત્ય-તે દામોદરને પુત્ર હતું. બીજાં બે દાનપત્ર મુજબ આમાં પણ તારીખ વિજયની છાવણી, અગર “ વિક્ષેપ' જે ભરૂકચ્છના દરવાજા બહાર હતી, તેમાંથી નાંખી છે. લેખની નવીન હકીકતમાં ફક્ત તારીખ અને ભૌગોલિક નામ એ બે જ છે. તે બાબત વધુ નોંધની જરૂર છે. તારીખમાં માસનાં નામની ભૂલ જણાય છે. ડો. કામની ગણત્રી પ્રમાણે શક સંવત ૪૧૫ જેષ્ઠ વદ અમાસનો દિવસ ઈ. સ. ૪૯ ના મેની ૩૧ મીને મળતું આવે છે. આ દિવસે લેખમાં કહ્યા મુજબનું સૂર્યગ્રહણ નહોતું. પણ બીજી અમાસને દિવસે, જુન ૨૯મીએ, કુંડલાકાર ગ્રહણ હતું, જે હિંદુસ્તાનમાં દેખાયું નહોતું તે આ ગ્રહણ હશે એમ લાગે છે. માસના નામની ભૂલ લેખકની હોય અથવા તે અધિક માસની પેટી ગણત્રીને લીધે થયેલી હોય, તે ગમે તેમ હે, પાબુ દ૬ ૨ નના • • ઈ. એ. વ. ૧૭ પ. ૧૮૩-૨૦૦ જી. બ્યુહુર For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy