SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે दद्द २ जाना उमेटांनां ताम्रपत्रो રાકાય છે, એ વધારે સંતોષકારક છે, પ્રોફેસર ભાંડારકર કહે છે કે “ ગુર્જર વંશનું રાજધાનીનું સ્થળ ભરોચ હતું, અને વધારામાં કહે છે કે શહેર તથા તેની આસપાસના પ્રદેશનું નામ પણ એ જ હતું. આમાં પહેલી હકીકત સાવ સાચી અને બીજી લગભગ સાચી છે. તે શહેર તથા પ્રદેશનું આ નામ પ્રાચીન કાળથી ચાલે છે એ નિઃસંશય છે. પરંતુ ગુર્જર રાજાઓ આ શહેરમાં રહેતા નહોતા. તે દરવાજા બહાર પાસેના જ એક કિલ્લામાં રહેતા હતા. દ૬ ૨ જાનાં ખેડાનાં બને દાનપત્રોમાં તારીખ“ નાં પુરત:” “નાંદીપુરીમાંથી” નાંખેલી છે. આ વાકય અને વલભીનાં ઘણાં દાનપત્રોમાં આવતાં “વસ્કર્મનઃ” “વલભીમાંથી” એ વાક્યની સામ્યતા ઉપરથી મેં અનુમાન કર્યું છે કે આ ગુર્જરની રાજધાનીના શહેરનું નામ હોવું જોઈએ. આ નામવાળા એક જૂના રથળ વિષે મારી તપાસ ઘણુ વખત સુધી નિષ્ફળ રહી. છેવટે ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈમ્પકટર રાવસાહેબ ગોપાલજી જી. દેસાઈએ ભરૂચના બ્રાહ્મણે પાસેથી જાણ્યું કે, ભરૂચની પૂર્વ દિશામાં જડેશ્વરના દરવાજા બહાર નજીકમાં આ નામવાળે એક જૂનો કિલે હતો. આ હકીકત, જેને “રેવામાહાસ્ય'માંથી પણ ટેકે મળે છે તેને ઈલાઓ અને ઉમેટાનાં પતરાંઓમાંથી દ૬ના રહેઠાણ વિષે મળેલી હકીકત સંપૂર્ણ રીતે મળતી આવે છે. બનેની શરૂઆત “ઝ કad વિજ્ઞવિક્ષાન માનાસ” એ શબ્દોથી થાય છે. નાસાન, જેને કંઈ પણ અર્થ નથી, તેને બદલે વાર્તાનું વાંચવું જોઈએ એમાં શંકા નથી. જે લખાણ ઉપરથી આ લેખ કોતરનારે નકલ કરી હતી, તે કદાચ આ ચાલુ હસ્તાક્ષરોની લિપિમાં લખેલો હશે. આ અક્ષરા તેણે સહિમાં સાચવ્યા છે. આમાંથી ૩ને આકાર જે અને fવામાં તથા રાઠોડનાં દાનપત્રોમાં આવે છે એ હતો, એ ચોકકસ છે. એટલે તેણે વા બદલે ના વાંચ્યું અને લખ્યું. પરંતુ આ અનુમાન સિવાય પણ વલભીના પતરાંઓમાં આવતાં નથપાવર મુરરજાસ%ાનું અથવા મોરવાહૂ જેવાં વાક ઉપરથી ઉપરનો સુધારો ગ્ય લાગે છે. ખરા વાકયનો અર્થ “ મેં રવસ્તિ ! વિજયી છાવણી જે ભરૂચના દ્વાર પાસે રહે છે. એટલે નાંખેલી છે તેમાંથી” એવો જ થઈ શકે છે. આ અર્થ જડેશ્વરના દરવાજા બહાર નાંદીપુરીને કિલા સાથે બરોબર બંધબેસતા આવે છે. એટલે ગુર્જર રાજ્યનું રાજધાનીનું સ્થળ ભરૂચમાં નહીં પણ તેના પૂર્વ તરફના દરવાજાની નજીકમાં જ હતું, એમ ચકકસ માની શકાય. વધારામાં હું કહું કે હિંદુ રાજાઓના મહેલો તેઓના રાજ્યના મુખ્ય શહેરોના દરવાજા બહાર નજીકમાં જ હોય છે. આને ખાસ દાખલો બીકાનેરના રાજાને મહેલ છે. તે શહેરથી તદ્દન જૂદે, ઈશાન કણમાં કેટલાક વાર દુર છે. દાનપત્રની તારીખ, શક સંવત ૪૦૦ ના વૈશાખની પૂણમાં અથવા સુદ ૧૫, કંઈ નવીન જવતી નથી, કારણ કે ઇલાઓનાં દાનપત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે દદ્દ ૨ એ શક સંવત ૪૧૭ સુધી તે રાજ્ય કર્યું હતું. પ્રોફેસર ભાંડારકરે પહેલી વાર બતાવ્યું છે તેમ, આ શક સંવત ઈ. સ. ૭૮-૯ માં શરૂ થતા સન છે અને ઉમેટાનું પતરું બરોબર ૧૪૦૦ વર્ષ જૂનું છે, એ વિષે મને જરા પણ શંકા નથી. દાન લેનાર ભટ્ટ મહીધરને પુત્ર, કાન્યકુબજ અથવા કનોજને રહીશ, એક બહવૃચ એટલે રૂદી ભટ્ટ માધવ હતો. તે ચારે વેદ જાણતો હતો, એક અગ્નિહોત્ર તથા બીજી યજ્ઞકિયાઓ માટે ખર્ચ કરવા માટે નિગુડ ગ્રામ તેને આપ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ તમારા કરવા છતાં અત્યાર સુધી “ભૂતિ ” અને દાનપત્રમાં બતાવેલાં બીજું સ્થળા ઓળખી શકાયાં For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy