SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તત્વાર્થસૂત્રને એકત્વ અર્થાત સંઘાત અને પૃથકત્વ અર્થાત ભેદથી સ્કંધ ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય બની જાય છે, ભેદથી ચાક્ષુષ દેતા નથી. અચાક્ષુસ પૂર્વોક્ત સંઘાતથી, ભેદથી અને સંઘાત ભેદથી હોય છે. ! ૨૩ તત્વાર્થનિર્યુકિત-ભેદ અને સંઘાતથી ચક્ષુ ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય સ્કંધ ઉત્પન્ન થાય છે. એવું ન સમજવું જોઈએ કે ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થનારા બધા સ્કંધ ચાક્ષુષ જ હોય છે. ભેદ અને સંઘાતથી તે ચાક્ષુષ સ્કની પણ ઉત્પત્તિ દેખી શકાય છેઆથી નિયમ એ છે કે સ્વતઃ જ પરિણમનની વિશિષ્ટતાના કારણે ચક્ષુઈન્દ્રિયના ગોચર થનારા બાદર સ્કન્ધ સંઘાત અને ભેદ દ્વારા ઉત્પન્ન થાય છે. આ રીતે બધાં સ્કન્ધ ચક્ષુગ્રાહ્ય હોતા નથી, પરંતુ અનન્તાનન્ત પરમાણુઓના સંઘાતથી બનનારા પુગલસ્કંધ પણ જે બાદર પરિણામવાળા હોય છે તે તે નેત્રગોચર થઈ શકે છે, સૂમ પરિણામવાળા નહીં. બાદર પરિણામ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે સૂમ પરિણામ દર થઈ જાય છે. બાદર પરિણામ થવાથી જેમ કેટલાંક પરમાણુ તેમાં મળે છે. તે જ રીતે કેટલાક જુદા પણ થાય છે આ કારણે સંઘાત અને ભેદ દ્વારા જ ચાક્ષુષ સ્કોની નિષ્પત્તિ થાય છે, ને તે એકલા સંધાતથી અથવા ન એકલા ભેદથી સૂક્ષ્મ પરિણામવાળા કન્વને ભવ થવા છતાં પણ તે અચાક્ષુષ જ બન્યા રહે છે અને તે કારણે તે અચાક્ષુષ જ રહે છે. પરંતુ બીજા કોઈ સૂફમ સ્કંધ ભેદ થવાથી બીજા સ્કંધમાં મળી જાય છે, તે વખતે તેનું સૂક્ષમ પરિણામ ચાલ્યું જાય છે, તેમાં બાદર પરિણામ ઉત્પન્ન થઈ જાય છે અને તે ચક્ષુગ્રાહ્ય બની જાય છે. શંકા–અચાક્ષુષ પરમાણુઓને સમુદાય ત્રણ પરમાણુમાત્ર જ હોય છે. તે કોઈ પ્રકારની વિશેષતા ઉત્પન્ન થયા વગર કઈ રીતે ચાક્ષુષ થઈ શકે છે? સમાધાન–બધી વસ્તુઓના હાજર પરિણામથી કઈ બીજું પરિણામ ઉત્પન્ન થાય છે તે તે જુદું જ હોય છે. આ રીતે પરમાણુ રૂપ પરિણમનથી ચાક્ષુષ પરિણમન ભિન્ન જ છે. પરમાણું પોતાના પરમાણુત્વ-પરિણામને ત્યાગ કરીને સ્નિગ્ધતા-રુક્ષતાથી સ્થૂળ પરિણમનને પ્રાપ્ત કરી લે છે. સ્કોમાં યથાસંભવ આઠ પ્રકારના સ્પર્શ કહેવામાં આવ્યા છે. પરમાણુઓમાં નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણ આ ચાર સ્પર્શ જ હોય છે એમાંથી પણ પરસ્પર અવિરેધી બે સ્પર્શ જ એક પરમાણુમાં હોય છે. બન્ધ રૂપ પરિણતિ માટે સ્નિગ્ધતા અને રુક્ષતા એ બંને સ્પર્શીની જ જરૂરીયાત છે, કઈ પરમાણુ સૂક્ષમ પરિણામવાળા તે કઈ સ્નિગ્ધ પરિણામવાળા હોય છે સ્નિગ્ધતા અને રક્ષતા પરસ્પર વિરોધી ધર્મ છે તેઓ એક પરમાણુમાં રહી શક્તાં નથી. તેમાં પણ કોઈ પરમાણુ એક ગુણ સ્નિગ્ધ હોય છે, કેઈ બે ગુણ સ્નિગ્ધ હોય છે તેવી જ રીતે કેઈ અનન્ત ગુણ નિષ્પ ચિકણા પણ હોય છે. આવું જ રુક્ષતાના વિષયમાં પણ સમજવું જોઈએ. સામાન્ય રૂપથી બધાં પરમાણું સજાતીય જ હોય છે. કેઈ વિજાતીય હોતાં નથી. કારણ કે બધાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ગુણવાળા હોય છે. એ રીતે રુક્ષતા અને સ્નિગ્ધતા ગુણના કારણે પરમાણુઓને કેઈ અન્ય દ્રવ્યની સાથે બન્ધ થાય છે અને તે બન્થ વિશેષથી ઘટ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy