SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કધાની ઉત્પત્તિના કારણોનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૭ વિનાશ થયે ત્યારે જ તેમાં પરમાણુરૂપ ઉત્તર પર્યાયનું ઉત્પન્ન થવું. ઉત્તરકાલીન પર્યાયમાં પૂર્વ કાલીન પર્યાયનું રહેવું શકય નથી કારણ કે પરિણામને અર્થ જ છે ભવાન્તરનું દેવું. આથી સૂક્ષમ પરિણામથી બાદર પરિણામ ભિન્ન છે, આથી સ્કન્ધ પરિણામમાં પરમાણુ પરિણામ હેતે નથી. - જેમ ગોળ, પાણી અને મહુડાના પુષ્પના સંગથી સરક (દારૂ) દ્રવ્યરૂપ પરિણમના ઉત્પન્ન થાય છે તેજ વિભિન્ન દ્રવ્યના સગ વિશેષથી કાલાન્તરમાં એક નવીન રૂપ ધારણ કરી લે છે જેમાં તેમના ભેદને સમજવું મુશ્કેલ થઈ પડે છે પરંતુ તે દ્રવ્ય વગર તે સમયે પિતાના પૂર્વ રૂપમાં રહે છે. જે તે સમયે પણ તે દ્રવ્યો પિતાના પૂર્વ રૂપમાં જ રહે તે પૂર્વકાળની માફક તે સમયે પણ તે પરિણામ ન હોવું જોઈએ. એ રીતે બાદર પરિણામના રૂપમાં પરિણત મહાદ્રવ્યમાં પરમાણું પોતાના રૂપમાં અર્થાત્ પરમાણુના રૂપમાં હોતા નથી કારણ કે તે બીજા પરિણામમાં પરિણત થાય છે જેમ દારુ પર્યાયના હોવાથી ગોળ વગેરે પોતાના રૂપમાં રહેતાં નથી આથી પરમાણુ કયણુક વગેરેના કારણે “જ” છે અહીં “જ” પ્રયાગ કરે એગ્ય નથી. સમાધાન–કોઈ પણ સ્થળ મૂર્તદ્રવ્યનું જે પૃથકકરણ કરવામાં આવે તો પરમાણુઓના રૂપમાં જ તેને અંત થશે જેમનું પુનઃ પૃથક્કરણ થઈ જ શકતું નથી તે દ્રવ્યનું આકાશપુષ્પની જેમ સર્વથા શૂન્ય રૂપ થશે નહીં. અથવા એમ કહીએ કે દ્રવ્યમયની અપેક્ષાથી પ્રયાણક આદિ દ્રવ્યના કારણુ પરમાણુ જ છે અને પર્યાયની અપેક્ષાથી તેમની ઉત્પત્તિ થાય છે. એવી રીતે કેઈ અપેક્ષાથી ઉત્પન્ન થવાના કારણે પરમાણુંને કાર્ય પણ કરી શકાય છે. તે પરમાણું સ્વયં કોઈ પણ દ્રવ્યના અવયવ દ્વારા ભેદી શકાતા નથી. હા, રૂ૫ રસ આદિ પરિણામ તેમનામાં મળી આવે છે એ અપેક્ષાથી તે ભેદવાન પણ હેય છે-તેમનામાં ભેદ કરી શકાય છે.? શંકા–પરમાણુ પ્રદેશહીન હેવાના કારણે સશકવિષાણુની સમાન અસત છે? સમાધાન–પરમાણુ સાવયવ દ્રવ્ય નથી, સાવયવ દ્રવ્યનું પ્રતિપક્ષી છે અને સાવચવ દ્રવ્યના પ્રતિપક્ષી હોવાથી અવશ્ય જ સત્ હોવું જોઈએ. અને નિરવયવ હોવું જોઈએ. તે તે પ્રદેશ રહિત છે. આ દલીલ અને આગમ પ્રમાણથી દ્રવ્ય પરમાણુની સિદ્ધી થાય છે. દ્રવ્ય પરમાણુની સિદ્ધી થઈ જવા પર ક્ષેત્રપરમાણુ અને ભાવપરમાણુની પણ સિદ્ધી થઈ જાય છે તે જાતે સમજી લેવું જોઈએ. ર૨ છે एगत्त पुहुत्तेहिं चक्खुसा ॥ મૂળસૂત્રાર્થ–સંઘાત અને ભેદથી સ્કંધ ચક્ષુગ્રાહ્ય થઈ જાય છે . ૨૩ તત્ત્વાર્થદીપિકા–અનન્તાનન્ત પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન થયેલે કોઈ પણ સ્કંધ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે અને કોઈ હોતા નથી. આ સંજોગોમાં જે ચક્ષુગ્રાહ્ય નથી તે ચક્ષગ્રાહ્ય કેવી રીતે થઈ જાય છે ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy