SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શાબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદહાવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨ બધાને જ ગ્રહણ કરે અને જે ન ગ્રહણ કરે તે કઈ પણ પદાર્થને ગ્રહણ ન કરે આથી વાહન વિશેષથી જ ગ્રાહ્યની દષ્ટિ જ કારણ હોય છે. અન્યથા અર્થજ્ઞાન એ વ્યવહાર પણ ન હોવું જોઈએ કારણ કે વ્યવહાર ઉપકારથી પ્રભાવિત થાય છે નિમિત્ત નૈમિત્તિકભાવ રૂ૫ ઉપકાર અવિનાભાવ હોવાથી અન્યથા અનુપપન્ન છે આ રીતે વર્ણ બંધ રસ અને સ્પર્શથી યુક્ત હોવાના કારણે પુદ્ગલ જીવથી ભિન્મ છે અને જીવના જ્ઞાનાદિ પરિણામોથી પણ ભિન્ન છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ જીવ અગર તે વિજ્ઞાનનું પરિણામ નથી. મેં ૧૯ सहंधयार उज्जोय पभा छायातपबंध सुहुमवायरसंठाणमेया ॥ મૂળસૂત્રાર્થ–શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, સૂમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલરૂપ છે. | ૨૦ | તત્વાર્થદીપિકા-પુદ્ગલ કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શત્મક જ નહીં પરંતુ શબ્દ આદિ પણ પુદ્ગલ જ છે. એ નિરૂપણ કરવા માટે કહીએ છીએ– શબ્દ, અધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, બન્ધ. સૂફમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલના જ પર્યાય છે. આથી પુદ્ગલ શબ્દાદિ વાળા હોય છે. તે ૨૦ || તત્વાર્થનિર્યુકિત–પહેલા કહેવાઈ ગયું છે કે પુગલ રૂપ, રસ, ગળ્યું, અને સ્પર્શ પર્યાયવાળા હોય છે. હવે એ કહે છે કે શબ્દ વગેરે પર્યાય પણ યુગલના જ છે. શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને અભાષાત્મક ભાષાત્મક શબ્દના બે ભેદ છે સાક્ષર અને અનક્ષર શબ્દ. જે શબ્દ વર્ણ પદ તથા બાહ્યાત્મક હોય છે. શાસ્ત્રને અભિવ્યંજક હોય છે, સંસ્કારયુક્ત અને સંસ્કારહીનના ભેદથી આર્ય અને અનાર્યજનના વ્યવહારનું કારણ હોય છે તે અક્ષરાત્મક કહેવાય છે. અનક્ષરાત્મક શબ્દ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચે. ન્દ્રિય પ્રાણિઓના જ્ઞાનાતિશયન પ્રતિપાદનને હેતુ હોય છે. તેમને જ્ઞાનાતિશય એકેન્દ્રિય જીવની અપેક્ષાથી જાણ જોઈએ. એકેન્દ્રિય જીને સામાન્ય જ્ઞાન હોય છે અતિશયજ્ઞાન હોતું નથી. અતિશય જ્ઞાનવાન સર્વજ્ઞ એકેન્દ્રિયોના સ્વરૂપનું નિરૂપણ કરે છે તે તીર્થકર ભગવાન પરમા તિશયજ્ઞાની હોય છે. આ શબ્દો પ્રાયગિક હોય છે. અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારના છે. પ્રાયોગિક અને વૈઋસિક. પ્રાયોગિક શબ્દના ચાર ભેદ છે–તત વિતત ઘન અને સુષિર પુષ્કર ભેરી, દુન્દુભિ દર આદિ ચર્મવેષ્ટિત વાદ્યોને શબ્દ તત કહેવાય છે. વિષ્ણુ સુષા વગેરેના શબ્દ વિતત કહેવાય છે. તાલ ઘંટ વગેરે વગાડવાથી ઉત્પન્ન થનારે શબ્દ ઘન કહી શકાય છે, તથા વાંસળી અને શંખ વગેરેથી ઉત્પન્ન શા સોશિર છે. વૈસિક શબ્દ મેઘ આદિને કહેવાય છે જે ગર્જનાત્મક હોય છે. આ બધા શબ્દ પુદગલના પર્યાય હોવાથી પૌગલિક છે. જેવામાં અવરોધ ઉભો કરનાર પ્રકાશના વિરોધી તમના નામથી પ્રસિદ્ધ અધિકાર પણ પૌદૂગલિક છે. ચન્દ્ર, સૂર્ય, અગ્નિ, મણ પતંગીયા વગેરેથી ઉત્પન્ન થનાર પ્રકાશ ઉઘાત છે તે પણ પીગલિક છે. પ્રભા જેને દીપ્તિ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy