SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ નારક અને સંમૂચ્છિથી ભિન્ન છેને ત્રણ વેદનું નિરૂપણ સૂ. ૪૦ ૭૫ સમવયાંગ સૂત્રમાં કહ્યું છે-ભગવંત ! નારક જીવ શું સ્ત્રીવેદી, પુરુષવેદી અથવા નપુંસકવેદી હોય છે ? હે ગૌતમ ! તેઓ ન સ્ત્રીવેદી ન પુરુષવેદી પણ નપુંસકવેદી હોય છે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ, પંચે ન્દ્રિય તિર્યંચ અને સંમૂર્ણિમ પુરુષ નપુંસકદવાળા જ હોય છે. ૩૯ ૫ “હા તિ ' મૂળસ્વાર્થશેષ જીવ ત્રણ વેદવાળા હોય છે ૪૦ છે તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે નારક અને સંમૂર્ણિમ જીવ ફકત નપુંસકદવાળા જ હોય છે. હવે તે સિવાયના અર્થાત્ નારકો અને સંમૂર્ણિમ સિવાયના જે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે તે ત્રણ વેદોવાળા હોય છે. આ માટે કહીએ છીએ – - શેષ જીવ અર્થાત નારકો અને સંમૂઈિથી ભિન્ન ગર્ભજન્મથી ઉત્પન્ન થનારા પચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય ત્રણ વેદોવાળા હોય છે. જે જેમાં પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ત્રણે હોય તે ત્રણ વેદવાળા કહેવાય છે. આવી રીતે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં કેઈ પુરુષવેદી, કેઈ સ્ત્રીવેદી અને કેઈ નપુંસકવેદી હોય છે. ૪૦ છે તત્વાર્થનિર્યુક્તિ–શેષ અર્થાત નારકે અને સમૃછિમથી ભિન્ન ગર્ભજ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રિવેદી અર્થાત્ ત્રણે વેદવાળા હોય છે એટલે કે તેમાં સ્ત્રીવેદવાળા પણ હોય, પુરુદવાળા પણ હોય છે અને કેઈ નપુંસકદવાળા પણ હોય છે – આ કથનને ફલિતાર્થ એ છે કે જરાયુજ, અન્ડજ તથા પિતજ પ્રાણી ત્રણ પ્રકારના હોય છે. સ્ત્રી. પુરુષ અને નપુંસક સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કેગર્ભથી ઉત્પન્ન થનારા મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રણ વેદ વાળા હોય છે. ૪૦ | ‘બાઝ તુવિદે વવવ નવ રામે મૂળસુવાથ– આયુષ્ય બે પ્રકારના છે. સોપકમ અને નિરૂપકમ છે ૪૧ તત્વાર્થદીપિકા–પહેલા નરકગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિ રૂપ સંસારી જેનું કથન કર્યું હવે તેમના આયુષ્યનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ આયુ અર્થાત્ જીવનકાળ બે પ્રકારના છે–પક્રમ અને નિરૂપકમ. જે આયુષ્ય ઉપક્રમ અર્થાત્ ક્ષયથી યુકત હોય તે સોપકમ કહેવાય છે. દીર્ઘકાળ પર્યન્ત ભેગવવા યંગ્ય આયુષ્ય અધ્યવસાન વગેરે જે કારણે અલ્પકાળમાં જ ભેગવવા યોગ્ય બની જાય છે તે કારણે ઉપક્રમ કહેવાય છે અર્થાત આયુષ્યને ક્ષયને નજીક લઈ આવનાર કારણ ઉપક્રમ કહેવાય છે. જે આયુષ્ય ઉપકમ સહિત હોય તે સપક્રમ કહેવાય છે. ઝેર, અગ્નિ, જળસમાધી વગેરે આત્મહત્યાના બાહ્યકારણ મળવાથી દીર્ધાયુ પણ ઓછું થાય છે અર્થાત જે આયુષ્ય ધીમે-ધીમે લાંબા સમયમાં ભોગવવાનું હતું તે અલ્પસમયમાં જ ભેગવી લેવાય છે. આ પ્રકારનું આયુષ્ય અપવત્યે આયુષ્ય પણ કહેવાય છે આથી ઉલટું જે આયુષ્ય ઉપકમથી રહિત હોય તે નિરૂપકમ કહેવાય છે. તેમાં અધ્યવસાન વગેરે કારણ હોતાં નથી. તાત્પર્ય એ છે કે જે આયુષ્ય જે રૂપમાં બંધાયેલું હોય છે તેજ રૂપે ભેગવી શકાયદીર્ઘ બંધાયેલું હોય તે હસ્વ ન થાય તે નિરૂપક્રમ કહેવાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy