SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ વૈકિય શરીરનું અને તેના ભેદનું નિરૂપણ સૂ. ૩૨ ૩ નની અવગાહનાવાળું હોય છે. જે ઉદાર છે તેજ દારિક કહેવાય છે. વૈકિય આદિ શરીર ઉત્તરોત્તર સૂક્ષમ હોય છે આથી એમનામાં આ પ્રકારની ઉદારતાની શકયતા નથી. પ્રજ્ઞાપનસૂત્રમાં ૨૧માં શરીરપદમાં કહ્યું છે– પ્રશ્નઃ—ભગવંત ! દારિકશરીર કેટલા પ્રકારનાં છે ? ઉત્તરઃ—ગૌતમ ! બે પ્રકારનાં છે-સમૂર્ણિમ અને ગર્ભવ્યુત્કાન્તિક. આ ૩૨ 'वेउध्वियं दुविहं उववाइयं लखिपत्तय च' મૂળસૂવાથ–પૈકિય શરીર બે પ્રકારનાં છે–પપાતિક અને લબ્ધિપ્રત્યય. / ૩૩ / તત્વાર્થદીપિકા-પ્રથમ દારિક શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું હવે વૈકિય શરીરનું પ્રતિપાદન કરીએ છીએ વૈકિયશરીરના બે ભેદ છે-પપાતિક અને લબ્ધિપ્રત્યય. જે શરીર વિકયાથી ઉત્પન્ન થાય છે તેને વેકિય કહે છે તે બે પ્રકારના છે ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. જે ઉપપાત જન્મમાં હોય તે ઔપપાતિક શરીર કહેવાય છે અને જે શરીર લબ્ધિ અર્થાત્ વિશિષ્ટ તપસ્યા વગેરેથી ઉત્પન્ન –અદ્ધિવિશેષથી જન્મે છે તે લબ્ધિપ્રત્યય કહેવાય છે. લબ્ધિપ્રત્યય વૈકિયશરીર કઈ-કઈ મનુષ્ય અને તિર્યંચોને હેય છે. તે ઉત્તર ક્રિય શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્તની હોય છે. તીર્થકરના જન્મ વગેરે અવસરે પર દેવને એવા કાર્ય કરવા પડે છે જે ઘણુ સમયમાં સંપન્ન થઈ શકે છે, ત્યારે તે કાર્યો કરવા માટે તેઓ વૈકિય શરીર બનાવે છે. - કમળના કદને તેડી નાખવામાં આવે ત્યારે તેના કકડાઓમાં જે તાંતણ લાગેલા હૈયું છે તે દ્વારા તે કકડા એકબીજાથી જોડાયેલા રહે છે તે જ રીતે ઉત્તર શરીરમાં અન્તર્મુહૂર્તમાં તેઓ આત્મપ્રદેશને પૂરા કરે છે આમ કરવાથી ઉત્તરકિયશરીર યોગ્ય સમય સુધી ટકી રહે છે. - અહીં ઉપપાતને આશય ઉપપતજન્મથી છે. જે પૈક્રિય શરીર ઉપપાતજન્સમાં હોય તે પપાતિક વિકિય શરીર કહેવાય છે આ શરીર ઔપપાતિક જન્મની સાથે જ ઉત્પન્ન થાય છે. કારણકે તેનું કારણ ઉપપતજન્મ જ છે. નારકી અને દેવતાઓને જ પપાતિક વૈક્રિય શરીર હોય છે, કેઈપણ બીજા પ્રાણુને હોતું નથી. આના પણ બે ભેદ છે. ભવધારણીય અને ઉત્તરક્રિય. - ભવધારણીય વૈયિ શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે. ઉત્તર વૈકિયની જઘન્ય અવગાહના આંગળીનાં સંખ્યાતા ભાગ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ યાજનની હોય છે. લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર તિર્યો અને મનુષ્યોને હોય છે. લબ્ધિ, તપસ્યા વગેરેથી ઉત્પન્ન થનારી એક પ્રકારની વિશિષ્ટ શક્તિ છે. જેને ઋદ્ધિ પણ કહે છે. એને કારણે જે ક્રિ શરીર ઉત્પન્ન થાય છે તે લબ્ધિ પ્રત્યય કહેવાય છે. આ શરીર જન્મજાત હોતું નથી. પણ પાછળથી ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ તપ વગેરેનાં અનુષ્ઠાનથી ઘણાં ગર્ભજતિર્યંચે તેમ જ મનુષ્યને લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર હોય છે. તિર્યમાં બીજા કેઈને હેતું નથી. આમાં અપવાદ એક જ છે અને તે એ કે વાયુકાયને લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર પણ હોય છે. સ્થાતાંગ સૂત્રનાં પ્રથમ સ્થાનનાં પ્રથમ ઉદ્દેશકનાં પંચોતેરમાં સૂત્રમાં કહ્યું છે –
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy