SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ તાવાર્થ સૂત્ર જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીર્ણ થઈ જાય છે. તે ૩૨ / તત્વાર્થનિયુક્તિ–પૂર્વોક્ત દારિક વગેરે પાંચ શરીરમાંથી કયું શરીર સમ્મર્ષોિમ વગેરે ત્રણ જન્મમાંથી કયાં હોય છે ? આ જાતની શંકા થવાથી કહીએ છીએ– દારિક શરીર–સમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારનાં છે. આથી સમૂછન જન્મવાળાં તથા ગર્ભ જન્મવાળા પ્રાણીઓને દારિક શરીર હોય છે પરંતુ એ નિયમ નથી કે તેમને ઔદારિક શરીર જ હોય છે, કારણકે તેમને તૈજસ અને કાર્મણ શરીર પણ પ્રાપ્ત થાય છે. આ શિવાય ગર્ભ જન્મવાળાને આગળ જતાં લબ્ધિ જનિત વૈકિય અને આહારક શરીર પણ હોઈ શકે છે. દારિક શરીરની અવગાહના જન્મથી આંગળીના અસંખ્યાતા ભાગ અને જે ઉત્કૃષ્ટા હોય તે એક હજાર એજનથી થેડી વધારે હોય છે. ઉદાર અર્થાત ઉગમ, ઉગમનને અર્થ છે પ્રદુભવ જે શરીર ઉત્પત્તિથી લઈને પ્રત્યેક સમયે ઉદ્ગમ કરે છે અર્થાત વૃદ્ધિને પ્રાપ્ત થતું રહે છે, પછી જીર્ણ અને શીર્ણ થાય છે તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર ઉમરના પરિણમન અનુસાર પુષ્ટ થતું જાય છે અને પાકી ઉમર થતાં નાશ પણ પામે છે. એના સાંધા જ્યારે ઢીલા પડી જાય છે અને ચામડી લટકવા માંડે છે તે શીણું પણ થઈ જાય છે. ઘડપણના ભારના કારણે વાંકું પણ વળી જાય છે. ઈન્દ્રિના વિષયને ગ્રહણ કરવાની શક્તિ નબળી-અને વધુ નબળી થવા લાગે છે અને કરચળીઓ પડી જાય છે. આ રીતે ક્રમશઃ આ કંઈનું કંઈ થઈ જાય છે. ઓળખી પણ શકાતું નથી કે આ તેજ સુંદર અને તાજુમાજુ શરીર છે. આ પ્રકારનું પરિણમન પ્રત્યક્ષથી સાબીત થયેલું છે. આ ઔદારિક શરીરમાં આ જે વિશેષતા છે તે વૈક્રિય, આહારક, તૈજસ અથવા કામણ શરીરમાં નથી. આ શરીર શરૂઆતથી છેવટ સુધી જેમનું તેમ રહે છે તેનામાં ઔદારિક શરીરની જેમ પળેપળે પરિવર્તન થતું નથી તે ઘડપણને લીધે ક્ષીણ થતું નથી અથવાતો વિશિષ્ટ પ્રગેથી વૃદ્ધિને પણ પ્રાપ્ત થતું નથી. આહારક શરીરમાં પણ આવું પરિવર્તન થતું નથી. તેજસ તથા કાશ્મણ શરીરમાં તે તેની શકયતા જ નથી કારણકે તેમનામાં સાંગોપાંગેનું નિર્માણ હોતું નથી. આ સિવાય ઔદારિક શરીર ગ્રાહ્ય હોવાના કારણે ગ્રહણ કરી શકાય છે. હાથ વગેરે અવયવો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે તેમજ ઇન્દ્રિયો દ્વારા પણ ગ્રહણ કરી શકાય છે પશુ વગેરે દ્વારા તેનું છેદન થઈ શકે, બાણ અગર ભાલા વગેરે દ્વારા ભેદન થઈ શકે, અગ્નિ અને સૂર્ય વગેરે દ્વારા બાળી શકાય છે, મહાવાયુના વેગથી અપહરણ કરી શકાય વગેરે અનેક પ્રકારના વિદારણ શકય હોવાથી આ શરીર ઉદાર-દારિક કહેવાય છે. આ સિવાય માંસ, હાડકાં, ન વગેરેથી બનેલું હોવાના કારણે પણ એને દારિક કહે છે. વૈકિય આદિ બીજા શરીર ન તે માંસ, હાડકાં વગેરેનાં બનેલા હોય છે અથવા ન તે તેમનું ગ્રહણ, વિદારણ છેદન ભેદન વગેરે થઈ શકે છે. અથવા જે સ્થૂળ છે તે ઉદાર કહેવાય છે ચેડાં પ્રદેશથી બનેલું હોવા છતાં પણ આ મેટું હોય છે અથવા ઉદારને અર્થ પ્રધાન પણ થાય છે. પ્રધાન એ માટે કે આ શરીર દ્વારા સકલસંયમ, તીર્થકર, મુકિત વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તે ભીંડાની જેમ પિલું હોવાથી પણ આને ઉદાર કહેવામાં આવે છે. ઉદારને અર્થ ઉચા પણ થાય છે આ શરીર મોટા પરિણામ (પરિમાણ) વાળું હોય છે અથવા ઉદાર અર્થાત્ પુષ્ટ, કારણકે તે વીર્ય–લેહીથી યુક્ત છે. ક્ષણે ક્ષણે તેની વૃદ્ધિ થાય છે. ઉદારને અર્થ મેટો પણ થાય છે કેમકે તે એક હજાર જ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy