SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને દ્રવ્યથી અનાદિ સમ્બન્ધ હોવા છતાં પણ આ તેજસ અને કામણ શરીર શું બધાં સંસારી ઇને હોય છે-અથવા કઈ કઈને જ હોય છે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે બધાં સંસારી જનાં તેજસ-કાશ્મણ શરીર હોય છે, એવું નથી કેઈને હેય અને કેઈને ન હેય. પ્રશ્ન-જેમ તૈજસ અને કાર્મણ શરીર અનાદિકાલીન સંબંધ હોવાથી બધા સંસારી જીને સાથે-સાથે હોય છે તેવી જ રીતે શું અન્ય શરીર પણ એકી સાથે એક જીવને હેય છે નહીં ? ઉત્તર–ભજનાથી એક જીવને એકી સાથે ચાર શરીર સુધી હોઈ શકે છે.(૧) એક જીવને એકી સાથે તેજસ અને કાર્મણ-બે શરીર હોય છે (૨) કેઈને તૈજસ કાર્પણ અને ઔદારિક હોય છે (૩) કેઈને તેજસ, કામણ અને વૈકિય હોય છે (૪) કોઈને તેજસ કાર્પણ ઔદારિક તથા વૈકિય હોય છે (૫) કેઈને તૈજસ, કાર્મણ, ઔદારિક તથા આહારક હોય છે (૬) કેઈને માત્ર કાર્મણ જ હોય છે (૭) કેઈને કામણ અને ઔદારિક (૮) કામણ અને વૈકિય (૯) કાર્મણ, ઔદારિક અને વૈકિય (૧૦) કાર્મણ, ઔદારિક, આહારક (૧૧) કેઈને કામણ, તેજસ, ઔદારિક તથા વૈક્રિય હોય છે. (૧૨) કેઈને કામણ તૈજસ અને દારિક હોય છે– - એક જીવને પાંચ શરીર કદી પણ હોઈ શકે નહીં કારણ કે આહારક અને વૈક્રિય શરીર સાથે-સાથે હોતા નથી, બંને લબ્ધિઓ એક જીવને એકી સાથે હોતી નથી. આ બંને લબ્ધીઓ એકી સાથે એક જીવમાં વ્યક્ત રૂપમાં હોઈ શકતી નથી. જે કાળમાં વિકિપલબ્ધિને પ્રગ કરવામાં આવે છે તે સમયે આહારક લબ્ધિને પ્રયોગ થતું નથી–હા, આગળ પાછળ પ્રયોગ કરી શકાય પહેલા વૈક્રિય શરીર બનાવી તેના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય પછી આહારક શરીર બનાવી શકે છે. આવી સ્થિતિમાં એક જીવનાં એકી સાથે પાંચ શરીર હોઈ શકે નહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીર પદમાં કહ્યું છે કે પ્રશ્ન–હે ભગવંત! જે જીવને ઔદારિક શરીર છે તેમને વૈકિય અને વૈશ્યિ શરીર હોય તેને દારિક શરીર હોય છે કે નહીં ? ઉત્તર હે ગૌતમ ! જેને ઔદારિકશરીર છે તેને વૈક્રિય શરીર કેઈવાર હોય છે, કઈ વાર હોતું નથી જેને વૈકિય શરીર છે તેને ઔદારિક શરીર હોય અગર ન પણ હોય. પ્રશ્ન–ભગવંત ! જેને ઔદારિક શરીર છે તેને આહારક અને આહારકવાળાને દારિક શરીર હોય છે ? જવાબઃ—ગૌતમ ! જેને દારિક શરીર હોય તેને આહારક શરીર કદાચિત હોય છે કદાચિત નથી પણ હતું જેને આહારક શરીર છે તેને દારિક શરીર નિયમથી હોય છે. પ્રશન–ઔદારિક શરીરવાળાને તૈજસ અને તૈજસવાળાને દારિક શરીર હોય છે ? જવાબ–જેને ઔદારિક શરીર છે તેને તૈજસ શરીર નિયમથી હોય છે પરંતુ તેજસવાળાને દારિક શરીર હોય પણ ખરું અને ન પણ હોય આવું જ કાર્મણ શરીર માટે સમજવાનું છે. પ્ર ક્રિય શરીરવાળાને આહારક અને આહારક શરીરવાળાને વૈકિય શરીર હોય છે?
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy