SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ રાતી અનુવાદ ઔદારિકાશિરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ ૫૯ શિરીર અનન્તગણું પ્રદેશવાળા છે. તારણું એ થયું કે આહારક શરીરને યોગ્ય અનન્તાણુક સ્કંધ જ્યારે બીજાં અનન્ત અનન્ત પ્રદેશેવાળા સ્કોથી ગુણવામાં આવે ત્યારે તે તેજસ શરીર માટે ગ્રહણ કરવા ગ્ય બને છે. આવી જ રીતે તૈજસ શરીરને વેગ્ય અનન્તાણુક સ્કંધ અન્ય એનન્તગુક સ્કધોથીગુણવામાં આવે–ત્યારે કાશ્મણ શરીર માટે ગ્રહણ કરવા ગ્ય બને છે. પ્રજ્ઞાપનાસૂત્રના શરીરપદના ૨૧માં પદમાં કહે છે-- દ્રવ્યની અપેક્ષા આહારક શરીર બધાથી ઓછા છે, વૈક્રિય શરીર તેથી અસંખ્યાતગણ વધારે છે, ઔદારિક શરીર તેથી પણ અસંખ્યાતગણી છે. તેજસ અને કાર્મણ શરીર બંને દ્રવ્યની અપેક્ષાએ સરખાં છે પરંતુ અનન્તગણે છે, પ્રદેશની અપેક્ષા સહુથી ઓછા આહારક શરીર છે, વૈક્રિય શરીર પ્રદેશોની અપેક્ષા તેમનાથી અસંખ્યાતગણું છે, દારિક શરીર પ્રદેશેની અપેક્ષા અસંખ્યાતગણુ છે તેજસશરીર પ્રદેશની અપેક્ષા અનન્તગણ છે, વગેરે.... અન્ય શરીરથી તેજસ અને કાર્મણ શરીરની એક ધ્યાન ખેંચતી બાબત એ છે કે આ બને લેકાન્ત સિવાય બધે જ અપ્રતિહત હોય છે, હા, લેકના અન્તમાં આ બંને પણ નાશ પામે છે. કહેવાનું એ છે કે જીવો અને અછાનું આધારભૂત ક્ષેત્ર લેક કહેવાય છે. લેકને અન્ત થાય છે. ત્યારે તેજસ-કામણ શરીરની ગતિને પણ અન્ત થઈ જાય છે. લેકની બહાર ગતિને કારણ ધર્મદ્રવ્ય અને સ્થિતિને કારણ અધર્મદ્રવ્ય હોતું નથી ધર્મદ્રવ્યના નિમિત્તથી જ છ અને પુગલેની ગતિ થાય છે આથી જ્યાં ધર્મદ્રવ્યને અભાવ છે ત્યાં ગતિને પણ અભાવ હોય છે. જેમ માછલાં વગેરે જળચરેની ગતિ પાણીની મદદથી થાય છે તેવી જ રીતે સમસ્ત જીવો અને પુદ્ગલેની ગતિ ધર્મદ્રવ્યની મદદથી જ થાય છે. - કાન્તને છોડીને સંપૂર્ણ લેકમાં ક્યાંય પણ તેમને પ્રતિઘાત થતું નથી-ગતિમાં રુકાવટ આવતી નથી જે કે આ બંને શરીર પણ આકારવાળા છે તે પણ અત્યંત સૂક્ષમ હોવાના કારણે અપ્રતિત છે-ભલે પર્વત હોય કે દરિયે, રણ દ્વીપ પાતાળ નરક અથવા વૈમાનિક લેક આદિ તે પણ તેને ભેદીને તેઓ સર્વત્ર અપ્રતિહત ગતિમાં હોય છે. જેવી રીતે લાલચોળ તેજના અવયવ લોઢાના પિન્ડની અંદર પેશી જાય છે અને કોઈ પણ પ્રકારે રોકી શકાતા નથી કારણ કે તે સૂક્ષમ હોય છે તે જ રીતે તેજસ અને કામણ શરીર પણ રાજાના પ્રિય પુરુષની જેમ સર્વત્ર પ્રવેશ કરે છે અને નિકળે છે, રાજપ્રશ્નીય સૂત્રનાં ૬૬માં સૂત્રમાં તેમને “અપડિયગઈ અર્થાતુ વગર કોઈ રોકટોક ગતિ કરનાર કહેવામાં આવ્યા છે. તેજસ અને કાર્મણ શરીરથી સંસારી જીવ કદાપી રહિત હેતે નથી-સમસ્ત સંસારી જીવોની સાથે તેમને સંબન્ધ અનાદિકાળથી છે–જેવી રીતે સુવર્ણ અને પાષાણનો સંગ અનાદિ છે તથા આકાશ અને પૃથ્વી વગેરેને સંગ અનાદિકાલીન છે તેવી જ રીતે જીવની સાથે આ બંને શરીરને સંબન્ધ અનાદિકાલીન છે–પરંતુ આ અનાદિ સમ્બન્ધ એકાંત રૂપથી ન સમજવો જોઈએ પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ સમજવો જોઈએ-બંને શરીર પ્રવાહ સ્વરૂપે અનાદિકાલીન છેતાત્પર્ય એ છે કે આ બંને શરીરની પરંપરા અનાદિકાળથી અવિચ્છિન રૂપમાં ચાલતી આવી છે અને જ્યાં સુધી જીવને મુકિત મળતી નથી ત્યાં સુધી ચાલતી જ રહે છે. પરંતુ પર્યાયની અપેક્ષા તેમને સંબન્ધ આદિમાન પણ છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy