SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગુજરાતી અનુવાદ ઈન્દ્રિયેના વિષયનું નિરૂપણ સૂ. ૨૧ આકાર લાંબ અને ત્રિકોણ છરા જેવો હોય છે. અતિ મુક્તકના પુષ્ય-દાર ચન્દ્રકના આકાર જેવી કંઈક કંઈક કેસર સહિત ગળાકાર અને મધ્યમાં કંઈક વિનત ધ્રાણેન્દ્રિય હોય છે. મધ્યમાં કિંચિત્ ઉંચી ઉઠેલી ગળાકાર મસૂરની દાળ નામના અનાજ જેવી ચક્ષુ ઈન્દ્રિય છે શ્રોત્રેન્દ્રિયને આકાર કદંબના પુષ્પ જેવો છે. પ્રજ્ઞાપનસૂત્રના ઇન્દ્રિયપદમાં કહ્યું પણ છે. પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિય-ઉપચય કેટલા પ્રકારનાં છે ? ઉત્તર–ગૌતમ ! ઇન્દ્રિય-ઉપચય પાંચ પ્રકારનાં છે. તે આ પ્રમાણે છે-બેન્દ્રિય-ઉપચય ચક્ષુ-ઇન્દ્રિય-ઉપચય પ્રાણેન્દ્રિય-ઉપચય જિહવેન્દ્રિય-ઉપચય અને સ્પર્શનેન્દ્રિય-ઉપચય. પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિયનિર્વત્તના કેટલા પ્રકારની છે? ઉત્તર–ગૌતમ! પાંચ પ્રકારની ઇન્દ્રિયનિવર્નનાં કહી છે જેમકે-ત્રઈન્દ્રિનિર્વતના ચક્ષુરિન્દ્રિય નિવ7ના ધ્રાણેન્દ્રિયનિવૃત્તના જિહેવેન્દ્રિય નિર્વત્તા અને સ્પર્શેન્દ્રિયનિર્વત્તનાં. પ્રશ્ન–ભગવદ્ ! સ્પર્શેન્દ્રિય કેવા આકારની કહેવામાં આવી છે ? ઉત્તર–ગૌતમ ! વિવિધ આકારની કહેવાય છે. પ્રશ્ન- હે ભગવન જીવા ઈન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર–હે ગૌતમ! છરાના આકારની કહી છે. પ્રશ્ન–હે ભગવન્ ધ્રાણેન્દ્રિય કેવા આકારની કહી છે ? ઉત્તર––હે ગૌતમ. અતિમુક્તકના ચન્દ્રકના આકાર જેવી છે. પ્રશ્ન-હે ભગવંત ! ચક્ષુરિન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર--હે ગૌતમ ! મસુરની દાળ જેવા આકારની કહી છે. પ્રશ્ન—-હે ભગવન શ્રેગ્નેન્દ્રિય ! કેવા આકારની કહી છે ? ઉત્તર--હે ગૌતમ કદમ્બપુષ્પનાં આકારની જેમ છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં ૧૯૧માં સૂત્રમાં કહેવામાં આવેળ છે. પર इंदियविसए पंचविहे फासे रसे गंधे वण्णे सद्दे य ॥२१॥ ઈન્દ્રિયના વિષય પાંચ પ્રકારના છે- સ્પર્શ રસ ગંધ વર્ણ તથા શબ્દ પરના તત્વાર્થદીપિકા– પ્રથમ કહેવાઈ ગયું છે કે શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયે દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારની છે-હવે તેમના વિષય બતાવવા માટે કહીએ છીએ-ઇન્દ્રિયના વિષય પાંચ છે-સ્પર્શ, રસ. ગંધ વર્ણ અને શબ્દ. જે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, તે ઈન્દ્રિયોને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે. (૧) સ્પર્શ –જેને અડકીને જાણી શકાય (૨) રસ-જે ચાખવાથી જાણી શકાય (૩) ગંધ-જે સુંઘવાથી માલમ પડે (૪) વર્ણ-જેવાથી જેનું જ્ઞાન થાય અને (૫) શબ્દ-જે કાનથી પ્રતીત થાય. સ્પર્શ આઠ પ્રકારના છે-(૧) કર્કશ (૨) મૃદુ (૩) ભારે (૪) હલકે (૫) ઠંડે (૬) ઉને (૭) ચિકણે અને (૮) સૂકો. રસ પાંચ પ્રકારના છે (૧) તીખો (૨) કડે (૩) કસેલે (૪) ખાટો (૫) મીઠે ગંધના બે ભેદ છે-સુગંધ અને દુર્ગધ વર્ણના પાંચ ભેદ છે-કાળે, નિલે, રાતે, પીળો અને ધો. શબ્દ ત્રણ પ્રકારના છે–જીવશબ્દ, અજીવ શબ્દ અને મિશ્રશબ્દ.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy