SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ બાદર નું નિરૂપણ સૂ. ૧૨ ૧૭ આઠ પ્રકારના સૂમ નાના નાના જીવો કહેલા છે તે આ પ્રમાણે છે-(૧) નેહસૂમ (૨) પુષ્પસૂમ (૩) પ્રાણિસૂકમ (૪) ઉસિંગસૂફમ (૫) પનકસૂમિ (૬) બીજસૂક્ષ્મ (૭) હરિતસૂમ અને (૮) અન્ડજસૂમિ કહ્યું પણ છે આઠ સૂક્ષમ છે. જેમકે–સ્નેહસૂમ પુષ્પસૂક્ષ્મ પ્રાણીસૂક્ષમ ઊરિંગસૂફમ પનકસૂમ બીજસૂક્ષ્મ, હરિતસૂક્ષ્મ અને અન્ડજસૂફમ. - અહીં “સને પદથી અપકાય વિશેષ ગ્રહણ કરવામાં આવેલ છે. કુંજટિકા-ધુમ્મસ (ઝાકળનું પાણી) હીમ વિગેરે સ્નેહસૂક્ષ્મ કહેવાય છે. ગૂલર (એક જાતનું ઝાડ) ના ફૂલની જેમ જે અત્યન્ત સૂમ પુષ્ય છે. તેઓ પુષ્પ સૂક્ષ્મ કહેવાય છે. જે પ્રાણીઓ એટલા નાના છે કે જે હાલતા-ચાલતા હોય ત્યારે જ દેખાય છે. સ્થિર હોય ત્યારે દેખાતા નથી તે કંથવા વગેરે પ્રાણિસૂક્ષ્મ કહેવાય છે. નાની-નાની કીડીઓ વગેરેને સમૂહ-કીડીયારા ઉંનિંગ સૂકમ કહેવાય છે. આ જીવ એટલા નાના હોય છે કે ઘણી સંખ્યામાં ભેગા થવા છતાં પણ પૃથ્વીના રૂપ-રંગ ન જેવા હોવાથી જીવ રૂપે દેખાતાં નથી ચોમાસામાં જમીન તથા લાકડા વગેરે ઉપર પંચવણી જે કઈ લીલ-ફૂલ કૃમી થાય છે. તે જયારે સહજ પણ દેખાતા નથી ત્યારે પનસૂફમ કહેવાય છે. ડાંગર વગેરેના પુષ્યના મુખ જેનાથી અકુરની ઉત્પત્તિ થાય છે તેને બીજસૂક્ષ્મ કહેવાય છે. નવા-નવા ઉત્પન્ન થનાર જમીનના રંગના હરિતકાય હરિત સૂક્ષ્મ કહેવાય છે, જે સાધારણતયા દેખાતા નથી, માખી કડી ખીસકોલી, વગેરેના ઘણા જ નાના-નાના અન્ડોને અન્ડસૂમિ કહે છે. સૂત્ર ૧૧ાા ___ बायरा अणेगविहा पुढवीकाश्या, सू० १२ મૂલાર્થ–બાદર જીવ પૃથ્વિકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. સૂ૦ ૧૨ તત્વાર્થદીપિકા–પ્રથમ સંસારી જીવને એક ભેદ બાદર કહેવાય ગયો-પૃથ્વીકાયિક આદિ બાદર છવ અનેક પ્રકારના છે. જેમ કે પૃથ્વિીકાયિક અપકાયિક વાયુકાયિક તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક. એમાં સૂક્ષમતા હોવા છતા પણ બાદરતા પણ દેખાઈ શકે છે ૧૨ - તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં સૂક્ષ્મજીનાં આઠ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે બાદર જીના ભેદ બતાવીએ છીએ–પૃથ્વીકાય આદિ બાદર જીવ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે. અહીં આદિ શબ્દથી અપકાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક આદિ સમજી લેવા જોઈએ. આ જીવ સૂરમ હવા થકા બાદર પણ હોય છે. અર્થાત્ એમાં જે અત્યન્ત નાના હોય છે. તે સૂમ, અને જે અનાયાસે જ દષ્ટિગોચર થઈ જાય છે તે બાદર કહેવાય છે. એ પહેલા પણ કહેવાઈ ગયું છે કે અહીં સૂક્ષ્મ અને બાદરના જે ભેદ કહેવામાં આવ્યા છે તે જીના શરીરની સૂદ્ધમતા અને સ્થૂળતાની અપેક્ષા એ છે. સૂમિ નામકર્મનાં ઉદય અને બાદર નામકર્મના ઉદયવાળા જે સૂક્ષમ અને બાદર છવ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે અત્રે તેમને ઉલ્લેખ નથી. ૧૨.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy