SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને પોતાના હલકી જાતના કિન્નરીપણાના પદની સરખામણીથી, તેમજ માનવ જિંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુશ નાના મેહથી તીની અધિષ્ઠાત થવા કરેલા નિયાણાના કારણથી પાતાની જિંદગીને ખરો ઉપયોગ ન કરી શકવાથી થતા કિન્નરીને પશ્ચાત્તાપ અને પેાતાની માફક માનવ જિંદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ—આ સર્વના આ ચિરત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુનાનું જીવનચરિત્ર છે. સમળી જેવા તિયાચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તેકાર પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠિ મહામંત્ર શ્રવણુ અને તેમને પ્રબળ અસરકારક સાત્વિક ખાધ હતા. તાત્ત્વિક બધથી પરાસ્મુખ, કવ્યાકત્ત્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવા મૂઢ ( અજ્ઞાન ) શામાં રહેલાં પ્રાણિઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના ઢ સંકલ્પની કેવી સચેાટ અસર થાય છે તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુભક્તિનુ ફળ, જીવહિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષોની આંતર કરુણામય લાગણી અને ઢ સંકલ્પ, નમસ્કાર મહામંત્રના પ્રભાવ, પૂર્વજન્મ, ત્યાગમાગ અને ગૃહસ્થાશ્રમની સરખામણી, સુનાના વૈરાગ્ય, ગુરુ પ્રત્યેના પૂજ્યભાવ, દ્રવ્યને સદ્દઉપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગો મનન કરવા સાથે-આદર કરવાચેોગ્ય છે. તે સાથે શાણી શીયળવતીનું પવિત્ર જીવન કે જે સુનાના વમાન વન સાથે જોડાયેલું છે, તેના દરેક પ્રસ ંગો ધણી બારીકાઇઇથી સ્મરણુમાં રાખવા યોગ્ય છે. જેમ આ ચરિત્રના પટ્ટમાં રેખા તુલ્ય સતી શીયળવતી છે તે સાથે મહાત્મા વિજયકુમાર મુનિ તે પણ પવિત્રતાના એક નમૂનો છે, આ ચરિત્રના પ્રસંગમાં આવેલાં દૃષ્ટાંતા અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધન્ના, ધયશા મુનિ, કર્મોનાં વિપાકા, ગૃહસ્થોનાં નિત્ય કવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધર્મોપદાન, શીયળ For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy