SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) ભૂષણ, વસ્ત્ર, શયન, આ નાદિ લાભના લેભથી વિટંબના અનુભવતા મેહથી મેહત થઈ કુટુંબવાસમાં વસે છે, એક મરણ પામે છે અને સર્વના આગળ ચાલ્યો જાય છે પણ અન્યની રાહ જેવા કેડે પણ વખત ઊભો રહેતું નથી. અથવા બીજાએ તેને થોભી રાખવા કે સાથે જવાને સમર્થ થતા નથી; પણ તે પોતાના કર્મથી નિગઠિત થઈ (બંધાઈને) પાછા જુદા જુદા રૂમમાં ચાલ્યા જાય છે. માતા મરણ પામી ગીપણે ઉષા થાય છે, પુી માતા છે ઉત્પન્ન થાય છે. પિતા પુત્રપણે અને પુત્ર પિતા પણે કમ દેવથી ઉત્પન્ન થાય છે. બંધુ શત્રુણે, શત્રુ મિત્રપણે, પુત્ર પતિપણે અને પતિ ત્રપણે કર્મસંબંધથી ઉપન્ન થાય છે. ઘણું લેશથી પેદા કરેલું ધન પણ મહાન વિરોધને કરવાવાળું થાય છે અને તે એટલું બધું અમાર છે કે મરણ પામ્યાબાદ એક પગલું પણ સાથે આવતું નથી. સ્વજનો સ્વાર્થમાં તત્પર થઈ ઉપેક્ષા કરે છે, ધનમાં લુબ્ધ થયેલા પુત્રે, પિતા સાથે યુદ્ધમાં ઉતર છે અથવા અનેક છળ-પ્રપંચ કરે છે. કાલી રહી પણ અમંગળ કે ચેપી રેગાદિના ભયથી મૃત પતિના કે મરવા પડેલા પતિના દેહને સ્પર્શ કરતી નથી માતાજી! સંબંધીઓની સ્વાર્થી પ્રીતિ સમજીને, આપ મારા સંસારખ માટે ખેદ નહિ કરે. આ અસર દેહનું સાર-આત્મહિત કરવું તે જ છે. ભાડાની ગાડી પાસેથી જેટલું કામ લેવાય તેટલે લાભ છે. આ અસ્થિર દેહથી રિથર ધર્મની પ્રાપ્તિ, મળવાળા દેહથી નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ અને પરાધીન દેહથી આત્મા સ્વતંત્રતા મેળવે તે હોય તો પછી આનાથી અધિક ફાયદો બીજે કયે ગણય ? ધન્ય છે તે સ્ત્રી પુરુષોને કે જેઓ દેવેન્દ્રના સ્વરૂપને કે દેવાં. ગનાના સ્વરૂપને જીતનાર, મનવલ્લભ અને રતિકુશળ સ્ત્રી, પુરૂષોના સમાગમથી પણ મોહિત થતા નથી. For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy