SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. સ્ત્રીઓને સશ. થોડાક જ–ઘણા થોડાક જ મહાન પદવીને પામે છે. પણ એવા નૃપતિ તે વિરલ જ હોય છે કે જેમના નામના શક પ્રવર્તે, પ્રજાઓ જેમનાં પુણ્યનામ પિતાના વ્યવહારમાં સદા આગળ ધરે, ને જેમના તખ્રનશીન થવાની મંગલ ઘડથી જ જાણે કાલની શરૂઆત થતી હોય એમ વર્ષમાલા ગણવા માંડે. પ્રજા જેમને એટલા પૂજ્ય ને પાવનકારી ગણે એવા તે જગતમાં કેક જ રાજર્ષિ હોય છે. એવા એક રાજષિ ધર્મરાજ યુધિષ્ઠિર હતા; એવા બીજા રાજર્ષિ પરદુઃખભંજન વિક્રમરાજ હતા. વિક્રમ રાજાને સમય વીતી ગયે. પ્રજાજનોએ તેમના પુણ્યશ્લેક નામથી પિતાનાં આવતાં જતાં વર્ષો ગણવા માંડ્યાં, અને એમ કેટલાંક શતક ચાલ્યાં ગયાં. પછી એક વેળા એવું બન્યું કે એક ગામની સીમમાં કેટલાક બાલક રાજારાજાની રમત રમતા હતા. એક બાલક રાજા થઈ ધૂળને ઢગલાના તપ્ત ઉપર વિરાજી મણ મણને ન્યાય આપતા હતા. બીજે બાલક પ્રધાન અન્ય હતું. ત્રીજે બાલક સેનાપતિ થયો હતો, અને અન્ય બાલકે પુરજન થઈ ન્યાય માગવા આવતા હતા. આમ બાલકો રાજખેલ ખેલતા હતા. એવામાં એક માનવી “અન્યાય” “અન્યાય પકાર એ રસ્તેથી નીકળે. તે માણસને પછી બાળકે પોતાના બાલરાજા પાસે લઈ ગયા, અને તેને ઈન્સાફ આપવાને માટે વિનંતિ કરી. તેની હકીકત સાંભળી તે બાલરાજાએ દેશરાજાથી ઉલટ ચુકાદે આયે, અને તે બાલકને ચુકાદે તપાસ કરતાં અન્ત ખરે પડ્યો. પંડિતેને ગુણજ્ઞ, કાવ્યરસિક, તેજસ્વી ભેજ રાજા એ બાલકને દેશપતિ હતા. બાલકના ખેલની અને તેમના ચુકાદાની બધી વાર્તા એ રાજાને કાને પડી, અને શેધ કરતાં તે રાજાને જનમહિમા નહીં, પણ સ્થાનમહિમા જણાય. તે ઉપરથી એ બાલખેલના રાજાએ જે ઢગલા ઉપર બેસી ન્યાય કર્યો હતે ત્યાં ખોદાવતાં ભેજરાજાને બતરીશ પૂતળીઓવાળું એક ૨મય રાજસિંહાસન મળી આવ્યું. એવી કથા છે કે એસિંહા For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy