SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીઓને સન્દેશ. લગી રાખવાં જોઈએ. વળી તેમની ચંચળતાને કોઈપણ રીતે અટકાવવી નહીં. એ હાલચાલથી ખચ્ચાનું શરીર સારૂં રહે છે, એટલુંજ નહીં પણ તેના ખારાક પચે છે, અવયવ જખરાં થાય છે, શરીર પાષાઈને મેાટું થાય છે ને તેની ઇંદ્રિયા તથા જ્ઞાન વધે છે. એવાં બચ્ચાં પેાતાની જાતને કાંઈ નુકશાન ન કરે અથવા પડે આખડે નહીં એ માટે તેમના ઉપર નિરંતર નજર રાખવી જોઇએ; પણ તેમની ચંચળતાનું કદી પણુ રોકાણ કરવું નહીં. આપણા કરતાં મચ્ચાંને ઠંડી ને ગરમીની અસર ઘણી વહેલી થાય છે, માટે બનતાં સુધી તેમના અંગ ઉપર વસ્ત્ર રાખવું જોઈએ. અચ્ચાંના રોગ સમજવા જેટલું અકરાંએ જ્ઞાન મેળવવું જોઈ એ, ને રોગ અટકાવવા સારૂ ઘેાડે થાડે દહાડે હરડે કરીઆતા વગેરેના ઘસારા તેમને પાવે જોઈ એ. તેમ તેમને ઉનાં પાણીથી રૂતુ પ્રમાણે નહેવડાવી, તેમને શરીરે તેલ પણ ચાળવું જોઈએ. સર્વ સન્નારીઓએ ઘરધંધાથી પરવાર્યાં પછીના નવરાશના વખત સારી રીતે કાઢવાની કાળજી રાખવી જોઈએ. પારકાની નિન્દા કરવાથી કે નકામી કુથળીથી અને તેટલાં અળગાં રહેવું જોઈએ. પરાઈ નિન્દાથી આપણને કાંઈ ફળ નથી. તેથી ઘણી વાર ક્લેશ ને ટંટા થાય છે. પારકાં છીદ્ર જોવાથી આપણી બુદ્ધિ ઘણે કાળે હલકી ને દુર્ગુણી થાય છે. માટે જો વાત કરવી હોય તે કોઈની સરસાઈની કે સદ્ગુણ વિષેની કે સુકૃત વિષેની વાત કરવી. અને ત્યાં લગી આપણે પણ નિત્ય કાંઈને કાંઈ સુકૃત કરવાના લાભ રાખવા. એવું જે દહાડે ન બની શકે ત્યારે એમ સમજવું કે આપણા આજના દિવસ અવર્થ ગયા. નવરાશમાં સારાં પુસ્તક વાંચવાં, સારાં ગીત ગાવાં, હરીભજન કે કીર્તન પણ ગાવાં વગેરે. વળી આપણા દેશના ઉદયના વિચાર કરવા; આપણા દેશના ઉદયમાં આપણા ઉત્તય સમાયલે છે એ નિરંતર ચાદ રાખવું જોઈએ. કોઈ કહેશે કે દેશના ઉદ્દય થાય કે ન થાય તેમાં મારે શું તે તેની એ મોટી ભુલ છે, એની ભારે For Private and Personal Use Only
SR No.020760
Book TitleStreeone Sandesh
Original Sutra AuthorN/A
AuthorDevkibai Mulji Vaid
PublisherDevkibai Mulji Vaid
Publication Year1917
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy