SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીશિવમહિન્નઃ તેંત્ર આક્ષેપ કરનારાનું તુચ્છપણું દર્શાવ્યું છે. અને ‘દ્દે’ પદના બહુવચન વડે સિદ્ધાંતીઓનું મહત્ત્વ દર્શાવેલું છે, એમ સમજવું. તર્કથી ન સમજાય તેવી શિવની શક્તિ ‘આત્મા સ્વાનુભવથી જ સિદ્ધ છે. ' આ કથન જેઓ સહન કરી શકતા નથી અને એને નિષેધ કરવા તત્પર થઈ જાય છે; વળી વેદના અર્થ પણ પોતાના મત પ્રમાણે કરે છે, તેમનું સમાધાન તર્ક વડે જ કરવું જોઈએ. એવા અનુમાન નામનો તર્ક जगदुदयरक्षाप्रलयकृत् '. એ પદ વડે પાછળના શ્લાકમાં બતાવેલા છે. ‘અખિલ સૃષ્ટિ કર્તાવાળી છે; કેમ કે તે કાર્ય છે, જે જે કાર્ય હોય છે, તે તે કર્તાવાળું હોય છે. જેમ કે ઘડો એ કાર્ય છે તેથી કુંભાર વગર તે બની શકતો નથી.' હવે પાછળ બતાવેલા બકવાદનું કારણ, જે પ્રતિકૂળ તર્ક છે, તેને ઉત્પન્ન કરનાર પૂર્વ પક્ષીઓનું નિરાકરણ કરવા તેમના જ કુતર્કો જણાવી સ્તુતિ કરે છે અથવા તે પૂર્વપક્ષીઓ કેવા આક્ષેપો કરે છે, તે જણાવતાં સ્તુતિ કરે છે. किमीहः किंकायः स खलु किमुपायस्त्रिभुवनं किमाधारो धाता सृजति किमुपादान इति च । अतयैश्वर्ये स्वय्यनवसरदुःस्थो हतधियः कुतर्कोऽयं कांश्चिन्मुखरयति मोहाय जगतः ॥ ५ ॥ (જો ભગવાન શંકર જ સૃષ્ટિકર્તા હોય તો) તે સટ્ટાની (સૃષ્ટિ રચવામાં) ચેષ્ટા કઈ? કાયા કઈ? ઉપાય કયો? વળી તેના For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy