SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ર . જાગૃત છે; પણ કુલ અને શીળથી શેભિત એવા રાજાઓની નજરે જેના કુલશીલ જાણ્યા નથી તેવા પુરૂષને આ કન્યા આપવી તે મને લજજા ઉત્પન્ન કરે છે. માટે હું આ કુમારને આદરથી કુલાદિક પુછું કે જેથી મારા મનને તેટલે ખેદ પણ દૂર થાય.” એમ વિચારી કુમારની નજીક જઈ બુદ્ધિના ભંડારરૂપ રાજાએ સિધ્ધ અને ગંભીરવાણુથી આ પ્રમાણે પુછયું. * “હે ઉત્તમ! ગુણ, વિનય, અને શક્તિથી તમારું જાતિકુળ વિગેરે સર્વે સમગ્ર લેથી અધિક છે એમ હું જાણું છું, પણ ઘણું કરીને લેકે બાહ્યરંગના રાગી હોય છે. જેમ ભીંત અંદર ગમે તેવી હોય પણ તેની બહાર સારો લેપ કરાય છે. માટે હે કુમાર ! તમે વિદ્યાધર છો ? કઈ દેવતા છો ? વા વરદાન મેળવનાર કોઈ મનુષ્ય છો ? કે કોઈ નાગકુમાર છે ? તમે કેણ છો? તે કહીને મારા કાનને પવિત્ર કરો.” રાજાએ એમ કહ્યું એટલે પ્રૌઢ પ્રભાવવાળ મહીપાળે ક્ષણવારમાં કંચુકની પેઠે પિતાને કૃત્રિમ નઠારો વેષ છેડી દીધે. આમ જયારે તેણે વૈકારિક રૂપ છોડ્યું તે વખતે વાદળામાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ, ધુમાડાવિનાના અગ્નિની જેમ, મળરહિત થયેલા મણિની જેમ, લાંછનવિનાના ચંદ્રની જેમ અને છીપમાંથી મુક્ત થયેલા મેતીની જેમ તે શોભવા લાગે અને તેની મનહર કાંતિએ નિર્મલ સુવઈને જિતી લીધું. તત્કાળ લેકમાં જ્યજ્ય શબ્દ થયે અને વર ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેવપાળ પિતાના લધુ બંધુનું મૂલસ્વરૂપ જોઈ સંભ્રમથી બેઠે થે અને તેને હર્ષથી ગાઢ આલિંગન કર્યું. અને તેના પરીવારના લકોએ કૌતુકથી લેચનને પ્રફુલ્લિત કરી દંડની પેઠે પૃથ્વી પર પડી પ્રણામ કર્યો. ત્રણે પ્રકારના વાજિંત્રોના નાદ થવા લાગ્યા, લેકે હર્ષથી નાચવા લાગ્યા અને સુંદરીઓના મુખમાંથી ધવળ-મંગળના ધ્વનિ નીકળવા લાગ્યા. - પ્રથમ મહીપાળે કહેલાં વચનોથી જેઓને ક્રોધ ઉત્પન્ન થયેલ હતું એવા સર્વ રાજાઓ એકઠા થઈ નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે આ મહીપાળે હાથવડે અગ્નિવૃક્ષનાં ફળ લીધાં તેમાં કોઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે ઇંદ્રજાળની વિદ્યાને શું અસાધ્ય છે? એ કુમારને લક્ષણરહિત ધારીને તેના પિતાએ પૂર્વ ઘરમાંથી કાઢી મૂક્યું છે, તેણે કોઈ ઠેકાણેથી ચમત્કાર મેળવીને આ કામ કર્યું છે તેમાં તેનું શું બળ છે? જે સ્ત્રીઓ છે તે તે સ્વભાવથીજ નીચગામિની હોય છે, તે આ અતિજડ (મૂર્ખ) એવી રાજકન્યા તેને વરી તેથી શું તે શ્રેષ્ઠ થઈ ગયે? માટે આ અઘટિત કામ અમે સહન કરશું નહીં, અને રાંકના ઘરમાંથી For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy