SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. ડપ રચ્ચે, તેમાં રહીને પ્રભુએ ધ્યાન ધરી ચાતુર્માસ્ય નિર્ગમન કર્યું. ત્યાં રહેલા પ્રાણુઓમાંથી કેટલાક નિત્ય જિનસેવાથી સમકિત પામ્યા, કેટલાક ભદ્રકભાવી થયા અને કેટલાકે હિંસા છોડી દીધી. પછી જે બહુ ઉન્નતિ પામી હતી તે વર્ષઋતુ અનુક્રમે વિરામ પામી ગઈ. “જડ (જળ)ના સંગથી એકાએક પણ અવસાન થવું દુર્લભ નથી.” તે પછી કાદવને શોષણ કરતી, આકાશને નિર્મળ કરતી અને કાસડાનાં પુષ્પને ખીલાવતી શરદગડતુ આવી. તે મહતમાં જળ જડ છતાં નિર્મળ થયાં, પંકજ કાદવમાંથી થયેલાં છતાં વિકાશ પામ્યાં, નદીઓ નિગ્નગા (નીચામાં જનારી) છતાં માર્ગગામી થઈ, અને મેઘ મલિન હતા પણ આખા વિશ્વને જીવનદાન આપવાથી નિર્મળ થઈ ગયા. તે જણાવવા લાગ્યા કે “અહે! દાનનો મહિમા કેવો છે? તે સમયે ચેખાનાં વણનાં પાણીનું પાત્ર હાથમાં લઈ મુનિઓથી મંડિત એવા સુત્રતાચાર્ય ગ્લાનપણાથી ધીમે ધીમે ચડતા પ્રથમ શિખર પર આવ્યા. ત્યાં વિસામે લેવા માટે બે શિખરની સંધિમાં કોઈ વૃક્ષતળે બેઠા, તેવામાં કોઈ તૃષ્ણાતુર કાગડે આવી તેમનાં જળપાત્રને ઢોળી નાખ્યું. ભયંકર સૂર્યનાં કિરણોથી તપેલા એ મુનિનું તાળવું તૃષાથી સુકાઈ જતું હતું. તેથી પિતાના જળપાત્રને ઢળેલું જોઈ તે મુનિ ક્રોધ લાવીને બેલ્યા. “હે કાકપક્ષી! આ પ્રાણુરક્ષક જળને તે ક્ષણવારમાં ઢળી નાખ્યું, તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિ આવશે નહીં, અને આ ઠેકાણે મારા તપના પ્રભાવથી સર્વે મુનિજનને સંતોષ આપે તેવું નિર્જીવ અને પ્રાસુક જળ સદા રહેજો.” આવાં તે મુનિનાં વચનથી તે વખતેજ લાહલ કરતા કોગડાઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી આ સિદ્ધગિરિઉપર કાકપક્ષીઓ આવતા નથી. દુકાળ અને વિધ વિગેરે અનર્થને સમર્થ કરનાર કાકપક્ષી જે કદિ અહીં આવે તે વિશ્વને નાશ કરવાને શાંતિકકર્મ આચરવું. શ્રી યુગાદિપ્રભુ અને રાજાદની વૃક્ષની આગળ કટિ વિન્નને નાશ કરે તેવું શાંતિકકર્મ જૈનમુનિઓએ ઘણુંવાર કરેલું છે. તે સુવ્રતાચાર્યના તપોબળથી નૈનત્યદિશા તરફ સિદ્ધગિરિની સંધિમાં તે જળ પ્રવર્યું છે કે જે નિરંતર તૃષા દૂર કરવા વિગેરે અનેક સુખને આપે છે. તે જળના સ્પર્શથી રેગ, શેક, પીડા અને ભૂતવેતાલ સંબંધી તથા પાપસંબંધી દુઃખ નાશ પામે છે. પછી ભગવાન અજિતસ્વામીએ મુખ્ય શિંગ ઉપર ચડીને તે ક્ષેત્રના માહાસ્યથી મુક્તિ પામવાને ઈચછતા એવા મુનિઓને કહ્યું “હે મુનિવરો! તમે અહીં જ રહે. તમે પુંડરીક ગણધરની જેમ અહીંજ કોને ૧ છેડો આવવો અથવા હલકી સ્થિતિએ પહોંચવું. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy