SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ શત્રુંજય માહાઓ. [ ખંડ ૧ લે. પુત્ર કોઈ મહાટવીમાં ક્ષય નામે ભિલ્લ થયો હતો. ક્રૂર હૃદયવાળો, અશુભ ધ્યાન ધરનારે અને પ્રાણીઓની હિંસા કરનારે તે ભિલ એક વખતે કોઈ તીર્થે જતા સંઘને લુંટીને પાછો વળી માર્ગમાં કાન સુધી ધનુષ્ય ખેંચીને આગળ ગયેલા મૃગને શોધવા લાગે. તેવામાં ધ્યાનથી સ્થિર અંગ કરીને રહેલા શ્રીસંયમ નામના મુનિ તેના જેવામાં આવ્યા. તેને મૃગ ક્યાં ગયે તે વાત પૂછી, પણ તે દયાળુ મુનિ બેલ્યા નહીં. ત્યારે “તે મૃગ તું જ છે એમ કહી તે ભિલે તેમની ઉપર બાણ છોડ્યું. ગો નમઃ” એમ બેલતા મુનિ તત્કાળ પ્રાણરહિત થયા. ત્યાંથી આગળ ભટકતાં તે ક્ષયભિલ્લને તે જ દિવસે કોઈ સિંહે માર્ગમાં મારી નાખે. પડતી વખતે તે બોલ્યો કે, “અરે! મેં પાપીએ નિરપરાધી મુનિને મારી નાખ્યા તેનું આ ફળ મનું આ પ્રમાણે ચિંતવતે મૃત્યુ પામે. મુનિઘાતના પાપથી તે સાતમી નરકે ગયે. ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી અધિક દુ:ખ સહન કર્યા. પછી બીજા સિંહ વ્યાઘ વિગેરેના ઘણા ભવ કરી, તે કુકર્મકારી જિલ્લ ફરી ફરીને નરકને અતિથિ થે. ભિલ્લના ભાવમાં મરણકાલે પ્રસન્ન ચિત્તે મુનિવધના દુકૃત્યની નિંદા કરી હતી તે પુણ્યવડે ક્ષયને જીવ નરકમાંથી નીકળીને તારો આ નીલ નામે પુત્ર થયું છે. હે રાજા ! મુનિને વધુ પરિણામે ભયંકર છે, મુનિની નિંદા અતિ દુરસ્તર છે અને મુનિની ઉપેક્ષા પણ મોટા દુષ્કૃત્યનું કારણ થાય છે. તે ક્ષયભિલે મરણ વખતે પોતે કરેલા મુનિના વધને પશ્ચાત્તાપ કર્યો હતો, તેથી તે તારા કુળમાં જન્મ પામ્યું પણ તેને દુષ્કૃત્યનું ફળ અવશિષ્ટ રહેલું હતું તેથી તારા રાજયમાં હાનિ થઈ. આ મહાનલ પૂર્વે શર નામે ક્ષત્રીય હતો. કંકા નામે નગરીના રાજા ભીમને અલ્પ ધનવાળો તે સેવક થેયે હતો. એક વખતે મંત્રીઓને ફારફેરમાં તેને પિતાને નિયમિત ગરાસ મળે નહીં, દારિયથી પીડિત થઈ તે ત્યાંથી પિતાને ઘેર આવે, ઘરે ભેજન વખતે રઈને સારી નઠારી કહેવા લાગ્યું, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું “પ્રાણેશ! ઘરમાં સારી વસ્તુ મને મળતી નથી, એટલે હું શું કરું ? જે પતિ સારાં અન્ન, ઘી વિગેરે લાવે તો સ્ત્રી સારી રસાઈ કરે છે, આપણું ઘરમાં આવા પદાર્થો જ હતા, તો તેમાં હું શું કરું! આવાં વચન સાંભળી તે શૂર ક્ષત્રીયને કોપરૂપી દાવાનલ પ્રજવલિત થે. તરત જ તેણે સ્ત્રી ઉપર પથ્થરને ઘા કર્યો તેથી તે સ્ત્રી મૂર્ષિત થઈને તત્કાળ મૃત્યુ પામી. તેને એક પુત્રી હતી, તેણે તે વખતે મેટો કોલાહલ કર્યો. તે સાંભળી નગરને કોટવાળ ત્યાં આવી પહોંચ્યો અને તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને અપરાધી જા For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy