SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાતમ્ય. [ ખંડ ૧ લો. શક્તિસિંહ અને સુષેણ વિગેરે રાજાઓની સાથે ઇંદ્રના આવાસમાં આવ્યા. પૃથ્વીના ઈંદ્રને પોતાના સ્થાનમાં આવતા જોઈ દેવેંદ્ર ચિત્તમાં હર્ષ પામી પિતાના આસન ઉપરથી ઊભા થયા. પછી ઈંદ્ર અને ચક્રવર્તી એક આસને બેઠા. તે વખતે તેમના પરસ્પર પડતાં પ્રતિબિબ ઘણું મહેદયથી શોભવા લાગ્યાં. અનેક પ્રકારના વાર્તા પ્રસંગ ચાલતાં ઈદ્ર પ્રસન્ન થઈને જગત્પતિ ભરતને કહ્યું. “હે ભરત રાજા! શ્રીયુગાદીશ પ્રભુ અમારે પૂજાય છે, તેમના અમે કિંકરે છીએ, અને તે પ્રભુના અંગથી ઉત્પન્ન થયેલા તમે ચરમ દેહધારી ચક્રવર્તી છે, તેમજ હાલ તે તીર્થને ઉદ્ધાર કરનાર અને સંધપતિ થયા છે, તેથી તમે મારે અનુજ બંધુસમાન કે સર્વથા પૂજનીય છે. તમે કરેલી જિનપૂજાને લેક પણ અનુસરશે તેથી વિશેષ પ્રકારે મારી કરેલી જિનપૂજાને તમે અનુસરે.” ચક્રવર્તીએ તેમ કરવા સ્વીકાર્યું, એટલે ઇંદ્ર દેવતાઓની સાથે વિવિધ પુષ્પાદિક વડે વિધિપૂર્વક પ્રભુની પૂજા કરી, અને વિવિધ દ્રવ્ય સંચયવડે બનાવેલી પ્રભુની શેષારૂપ માળા લઈને પુણ્યવૃદ્ધિને માટે હર્ષથી પોતાના કંઠમાં ધારણ કરી. પછી ઇંદ્ર દેવતાઓનાં વૃંદસાથે વિવિધ ઉત્સવસહિત વાહનમાં બેસી જળના કલશ ભરવાને ક્ષીરસાગરે ગયા. ત્યાંથી કલશમાં જળ ભરી લાવી હર્ષવડે તે જળથી પ્રભુના ચરણકમળ ધોયા. તે સમયે લેઓના ચિત્તને હરનારા ઈદ્ર પાત્રોને પુષ્કળ દાન આપ્યું. ત્યારથી અદ્યાપિ કેમાં મહાન ઇદ્રોત્સવ પ્રવર્તે છે. “મહાન પુરૂષો જેમ પ્રવર્તે છે તેમ લેકે પણ અનુસરે છે. ભરતે ભક્તિથી રચેલી અને ઇંદ્ર આદર કરેલી શ્રીજિનપૂજા ત્યારથી બે પ્રકારે વિવિધ ઉદયથી પ્રવર્તવા લાગી. પછી ઇંદ્રની આજ્ઞાથી અપ્સરાઓએ અને હાહા હુહુ વિગેરે ગંધર્વોએ પ્રભુની પાસે લેકોને હર્ષદાયક સંગીત રચ્યું. ગીત શૈલેક્યને વશ કરે છે, સ્વર્ગાદિ સુખને આપે છે, સર્વ જનને આનંદ પમાડે છે અને સર્વ અર્થને સાધે છે. ગીત સુખ અને દુઃખમાં સરખું છે. દ્રાક્ષ અને ઇક્ષુરસથી પણ તે વિશેષ મધુર છે. તે ગીત જે જિનપૂજા માટે રચ્યું હોય તે સર્વ પાપને હરે છે. પછી જાણે સુવણેને સુગંધયુક્ત કરવા ઇચ્છતા હોય તેમ ભરતે શુદ્ધ અન્ન વસ્ત્ર પાનાદિકથી મુનિઓને પ્રતિલાભિત કર્યા. સુવર્ણ, રૂ, રન, જળ, અન્ન અને વસ્રાદિકનાં દાન કરી ચાચકોના દારિદ્રને દળી નાખ્યું. પછી તીર્થની પૂજાના નિભાવને માટે ભરતે બધો સુરાષ્ટ્રદેશ અર્પણ કર્યો. ત્યારથી પૃથ્વીમાં તે દેશ દેવદેશ એવા નામથી વિખ્યાત થ. એક વખતે ભરત અને ઇંદ્ર એક આસન ઉપર બેસી પરસ્પર કથામૃતના રસમાં પ્રસન્ન થઈને રહેલા હતા, તે સમયે કુલીન સ્ત્રીના જેવી સુંદર શત્રુંજયા નામે For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy