SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ સર્ગ ૫ મો. ગિરિપૂજાના શ્રીના ગણધર બતાવેલા ક્રમ. ૧૭૫ ભરતે દૃષ્ટિદાન, હસ્તદાન તથા આભરણાદિકથી તેનું સન્માન કર્યું. પછી ઊંચા શિખરારૂપ કમળાથી યાત્રાળુઓના જાણે અતિ ઉચ્ચ યશઃકાશ હાય, સંસારથી ભય પામેલા પ્રાણીઓને રહેવાના જાણે કિલ્લો હાય, પૃથ્વીરૂપી ભામિનીનું જાણે મસ્તકનું અમૂલ્ય આભૂષણ હાય અને મુક્તિરૂપી સુંદરીના જાણે ક્રીડા કરવાના કન્દુક હાય તેમ દેખાતે અને રણની કાંતિથી આકાશને ચિત્રવિચિત્ર કરતા કુંડરીગિરિ જોવામાં આવ્યા. તેને જોઇ રામાંચકત્ચક ધારણ કરતા અને પ્રેમથી મસ્તકને ધૂણાવતા ભરતે સામયશાપ્રત્યે કહ્યું “ આ સૌરાષ્ટ્ર દેશના સુકૃતી લેાકેાને ધન્ય છે કે જેઓ સદા પુંડરીકગિરિની પાસે રહે છે, આ ગિરિરાજની છાયાના અને તે તરફના પવનને જો સ્પર્શ થયા હેાય તે તે ચન્દ્રના કિરણની જેમ જગને પાપ અને તાપથી રહિત કરે છે. પુંડરીક કમળજેવા ઉજ્જવળ આ પુંડરીકિંગરિને જેએ જુએ છે, તે પુણ્યામ્રુતવડે પવિત્ર થઈને પાપપંકને ત્યજી દે છે. આ ગિરિને જોતાંજ મારું મન એવું આનંદ પામે છે કે જેથી હું ધારું છું કે, તે ( કર્મ ) મલમુક્ત થવાથી લધુ ( હલકું ) થઈ ગયેલું છે. તેમજ મારા આત્મા પ્રસન્ન થવાથી મને એમ નિશ્ચય થાય છે કે આ તીર્થ પાપપકે વર્જિત છે, કારણ કે કાર્યથી કારણનું અનુમાન થાય છે. આ સુંદર વૃક્ષે નેત્રને આનંદકારક લાગવાથી મને અતિ હર્ષ આપે છે અને પવને કંપાવેલા મસ્તકથી જાણે તેઓને તીર્થંવાસ હાવાથી તે નાચતા હેાય તેવા જણાય છે. જે પક્ષીઓ અહીં વસેછે તે પણ પુણ્યવાન્ છે અને અમે ચક્રવર્તીના પદને પ્રાપ્ત થયા છીએ તથાપિ અમારો દૂર વાસ હાવાથી અમે તેવા પુણ્યવાન નથી. ' આપ્રમાણે કહી ચક્રવર્તી ગજેન્દ્ર ઉપરથી ઉતર્યાં, અને હર્ષથી ગણધર મહારાજાને તથા મુનિઓને તેમણે પ્રણામ કર્યાં. પછી ધર્મમાર્ગને બતાવનારા તે ગુરૂને ભક્તિથી પૂછ્યું કે આ પર્વતની કેવી રીતે પૂજા કરવી? અને તેમાં કેવી રીતે ક્રિયા કરવી તે કહો. તે સાંભળી ગણધરામાં મુખ્ય એવા શ્રીનાભગણધરે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું - હું ચધ્રુવત્તા ! જ્યારે આ ગિરિ દૃષ્ટિએ જોવામાં આવે, ત્યારે પ્રથમ તેને નમસ્કાર કરવા. જે કાઈ ગિરિના પ્રથમ દર્શનની વાર્તા જણાવે, તેને જે કાંઇ આપીએ, તે પુણ્યની વૃદ્ધિને માટે થાય છે. જ્યારે આ ગિરિનું દર્શન થાય, ત્યારે પ્રથમ પુણ્યલાભને માટે નવીન ચન્દ્રની જેમ આ ગિરિને સુવર્ણથી અને મણિરતાદિકથી વધાવી લેવા. પછી વાહનના ત્યાગ કરી, પૃથ્વીપર આળેાટી અને પંચાંગ નમરકાર કરી પ્રભુના ચરણની જેમ ગિરિને સેવા. પછી ત્યાં સંધને પડાવ કરી ૧ કૃપાથી ભરપૂર-મીઠી દૃષ્ટિથી જોવું. ૨ દડો. ૩ ભાગ્યશાળી, 53 ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy