SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ જ છે. ] બંને સેનાના વીર પુરૂને સંગ્રામ ૧૪૫ કલંકિત કરતો, તેમજ તેમનામાં ખેદને નિષ્પન્ન કરતો રથમાં બેસીને રણભૂમિમાં આ. સૂર્યયશાના નાદથી ચક્રવર્તાના બી સૈનિકે પણ બમણે ઉત્સાહ ધરીને રણમાં આવ્યા. અતિવેગથી સામા આવતા સૂર્યયશાની ધ્વજાને અમિતકતુએ અર્ધચંદ્ર બાણથી છેદી નાખી. પિતાની વિજાના ભંગથી ધૂમકેતુની જેમ ઉદય પામેલા સૂર્યશાએ અદ્ધચંદ્રબાણ મૂકીને અમિતકેતુનું મસ્તક છેદી નાખ્યું. તત્કાળ ચક્રવર્તાની સેનામાં જ્યનાદ થયે અને સૂર્યયશાની ઉપર આકાશમાંથી. પુષ્પવૃષ્ટિ થઈ આ પ્રમાણે રવૈયાની પેઠે બાહુબલિની સેનાનું મંથન કરીને સૂર્યયશા પિતાના અનુચર વર્ગને પ્રફુલ્લિત કરતો પોતાના સૈન્યમાં આવ્યું. તે વખતે બાહુબલિએ પોતાના રાજાઓને બોલાવ્યા એટલે વીશ કટિ પાયદળ, ઘોડા, રથ અને હાથીઓને સ્વામી અને વૈતાઢય પર્વતની દક્ષિણ એણિને નાયક સુગતિ નામે એક વિર બાહુબલિ પાસે આવી, નમરકાર કરી આજ્ઞા લઈને વેગથી રણભૂમિમાં આવ્યું. તેને આવેલ જોઈને જાણે સાક્ષાત્ ક્ષાત્રધર્મ હોય તેવો અને શાર્દૂલના જે પરાક્રમી શાલ નામે ચક્રવર્તીને પુત્ર વીરરસવડે વ્યાપ્ત થઈ સિંહનાદ કરતો ગજ ઉપર બેસીને રણભૂમિમાં આવ્યું. તેણે જ્યારે ધનુષ્યમાંથી બાણ છોડવા માંડયાં, ત્યારે તે બાણે ભાથામાંથી ખેંચતાં, ધનુષ્ય સાથે ડતાં કે મૂકતાં કોઈના જોવામાં આવતાં નહોતાં, પણ જયારે શત્રુ ઉપર પડતાં હતાં ત્યારે જોવામાં આવતાં હતાં. તે વખતે જેનારા લેકે તર્ક કરવા લાગ્યા કે “સૂર્યના કિરણેની પેઠે આની મુષ્ટિ શું અમોઘ હશે વા આ ધનુષ્ય મેઘના જેવું થઈ બાણ વર્ણવતું હશે અથવા ધમ પુરૂષના મરથની જેમ ઇચ્છા પ્રમાણે બાણ ઉત્પન્ન થતાં હશે ?' આ પ્રમાણે લેહમય શસ્ત્રથી દુર્જય એવા શાર્દુલને જોઈ સુગતિએ દેવતાથી પણ દુર્ભેદ્ય એવાં દિવ્ય શસ્ત્રો મૂકવા માંડયાં. અને સત્વર પ્રેમપાશવડે જંતુની જેમ નાગપાશવડે શાલને બાંધી લીધે, જેથી તે જરામાત્ર હાલવા ચાલવાને પણ શક્તિમાન થે નહીં. થોડીકવાર તે પીડાને સહન કરીને વીર્યથી ઉચ્છાસ લઈ તેણે સૂર્યની પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યાનું, જેમ તે પ્રત્યક્ષ હોય તેમ ધ્યાન કર્યું. તે વિદ્યાના પ્રભાવથી જેમ હાથી કમલિનીને અને યોગી કુકને તોડે તેમ તડતડ શબ્દ તેણે નાગપાશ તોડી નાખ્યો. તે વખતે તત્કાલ વાદળામાંથી નીકળેલા ૧ સિંહ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy