SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૪ થશે. ] ભરતસમ્મુખ દૂતનું નિવેદન. ૧૨૯ તથા બાપે માર્યું વેર હેય તેમ ત્યાંના લોકોએ વિકટ નેત્રોના કટાક્ષોથી અવલોકન કરાતો તે દૂત ચાલતો ચાલતો અનુક્રમે એક અટવીમાં આવ્યું. ત્યાં પણ પર્વતના રાજાઓ બાહુબલિ ઉપર ભક્તિવાળા, યુદ્ધ માટે સજજ થતા અને અસ્ત્ર ઉગામતા તેના જોવામાં આવ્યા. તેવું જોઈ લેકાપવાદથી ભીરૂ એ તે દૂત તે બન્ને ભાઈઓનું પરસ્પર વૈર થવાના હેતુને હૃદયથી નિંદવા લાગ્યું. “અહા! ચક્રવર્તીને શી ન્યૂનતા છે જે આ બાહુબલિ પાસેથી સેવાને ઇચ્છે છે. અમોએ પણ કેસરી સિહની જેમ તેને ફગટ ચડાવે.' આ પ્રમાણે વિચારતો સુવેગ વેગવાળા રવિડે કેટલેક દિવસે પિતાના સ્વામીના દેશમાં સુખે આવી પહોંચ્યા. તે વખતે ત્યાં લેકમાં થતી આ પ્રમાણેની વાતે તેણે સાંભળી કે “હે લેકે ! સર્વે પિતપતાનાં સ્ત્રી છેકરા વિગેરે લઈ અનાદુરપણે સત્વર કિલ્લામાં જાઓ, કેમકે વિશ્વ આવ્યા પહેલાં ચેતી જવું સારું છે. ધાન્ય અપવું હોય તો પણ તેને લણી લ્ય અને તેને પૃથ્વીની અંદર દાટી રાખે, કારણ કે તેમ કરવાથી સર્વથા નાશ નહીં થાય. અથવા છોકરા વિગેરેની શી ચિંતા કરવી, અત્યારે તો આત્મરક્ષા કરવી પણ મુશ્કેલ છે; કેમકે બાહુબલિ આગળ ક્રોધ પામતાં દુર્ગનું બળ પણ શા કામનું છે.” આવી લોકવાર્તા સાંભળીને સુવેગ વિચારમાં પડ્યો કે શું આ વાર્તા મારાથી પણ ઉતાવળી અગાઉથી અહીં આવી પહોંચી કે જેથી આ લેકે તેને માટે આટલો બધે ભય બતાવે છે. આ પ્રમાણે વિચારતે સુગ બાહુબલિનાં વચનને સંભારતો વેગે કરી અને ધ્યામાં આવ્યું અને તરતજ ભરતચક્રીની પાસે આવી તેમને પ્રણામ કર્યો. પછી ભક્તિથી બે હાથ જોડી સંદેશાને લાવનારા નૈમેષી દેવની જેમ તેમની આગળ બેઠે. ચક્રવર્તીએ હસતાં હસતાં સુવેગને નેહપૂર્વક પૂછયું કે-“હે સુગ ! તું વેગથી કેમ આવ્ય, મારો બધુ બાહુબલિ તે કુશળ છે ? એ મારે બંધુ મદગંધી હાથીની પેઠે બીજાના જોરાવરપણાને સહન કરતો નથી, મેં બાલ્યાવસ્થામાં ક્રીડા કરતાં ઘણી વાર તેની પરીક્ષા કરી છે.” આવાં ભરતચક્રીનાં વચન સાંભળી સુગ પ્રણામ કરી બોલ્યો. “સ્વામી ! આ પૃથ્વીમાં બાહુબલિનું અકુશલ કરવાને કણ સમર્થ છે? પ્રથમ મેં તેમને સામવાક્યથી હિત સમજાવ્યું, પછી બીજા ઉપાયે પણ કહી બતાવ્યા, તથાપિ તેણે કાંઈ પણ માન્યું નહીં. જયારે પખંડના વિજયને પ્રસંગે સુષેણ સેનાપતિ, સૈન્ય અને ચક્કર વિગેરેનું વર્ણન ૧ કિલ્લાનું. ૨ માઠું, ભૂંડું. ૩ સમતાનાં ઠંડાં વાક્યો. - 19 For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy