SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શત્રુંજય માહાસ્ય. [ ખંડ ૧ લો. હોય તેવા રથ પર એકદમ ચડી ગયે! તે વખતે લેકે આ પ્રમાણે વાત કરવા લાગ્યા. કેઈએ કહ્યું “આ કોઈ નો માણસ સભામાંથી નીકળે જણાય છે, હું ધારું છું કે તે ભરત રાજાને દૂત હશે.” ત્યારે બીજે પુછયું “શુ બાહુબલિ શિવાય બીજે કઈ પૃથ્વીમાં રાજા છે ? ” પહેલાએ ઉત્તર આપે કે “બાહુબલિને જયેષ્ટબંધુ અને ઋષભ પ્રભુને પુત્ર ભરત નામે રાજા છે.' બીજે બે કે ત્યારે તે આટલો વખત થયાં કયા દેશમાં ગયે હતે ?” પહેલે બે કે “તે ચકવ હેવાથી છ ખંડ ભરતને વિજય કરવા ગયે હતે.” બીજાએ પૂછ્યું કે “તેણે બાહુબલિ પાસે આ દૂત શામાટે મેક હશે ?' પહેલાએ કહ્યું કે, “પિતાની સેવા કરવાને બોલાવવા મોકલ્યું હશે.' બીજે બે કે “શું ત્યારે તેને એક ઉંદર જેવો પણ મંત્રી નહીં હોય કે જે આવું કામ કરતાં વાર નથી ?' પહેલાયે કહ્યું કે “તેને સેંકડો મંત્રીઓ છે પણ સર્વે તેને આ કામમાં ઉલટી પ્રેરણા કરે છે.' બીજે બેલ્યો કે “આતો સુતેલા સિંહને દંડના ઘાતથી જગાડે છે, પણ પ્રાયે બુદ્ધિ ભાગ્યને જ અનુસરે છે. આ પ્રમાણે નગરજનોના મુખમાંથી નીકળતા વાર્તાલાપને સાંભળતો સુવેગ વેગવાળા રથવડે નગરની બહાર નીકળે. સુભટની ભુજાના આસ્ફોટથી, વિવિધ આયુધોના નચાવવાથી અને વિર કેના સિંહનાદથી તેના રથના ઘોડા ભડકવા લાગ્યા. એ પ્રમાણે જયારે તે નગરની બહાર આવ્યું, ત્યારે સિંહના મૂળમાંથી મુક્ત થયેલા અને કઈ દિશામાં જવું એમ સંભ્રમ પામી ગયેલા મૃગની પેઠે તેને કઈક જીવિતની આશા ઉત્પન્ન થઈ. પુરે પુરે અને ગામે ગામે વૈરની વાર્તા સાંભળીને તે વાતને આદર કરતા, ભુજાના મદથી ગર્વ ધરતા અને શસ્ત્રોને ઉગામતા વીરપુરૂષોને જોઈને તેને મજ રણની ઉત્કંઠાથી હાથમાં શસ્ત્ર લઈને ઉઠેલા બાલકને જોઈને સુવેગ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે “અહીં આવા બાળકો પણ યુદ્ધ કરવાની સ્પૃહા કરે છે, તે શું આ તે ભૂમિને ગુણ હશે કે બાહુબલિને ગુણ હશે? મને એમ જણાય છે કે જેવા રાજા હોય છે તેવી પ્રજા થાય છે, તેથી પિતાના સ્વામીના બળના મહામ્યથી જ આ સર્વે ઉત્સાહ ધરે છે.” આગળ ચાલતાં પિતાના સ્વામીના બળના અતિશયપણાથી બીજાની અવજ્ઞા કરનારા લોકો પાસેથી ભરતરાજાની સાથે થનારા વિગ્રહની હાંસી થતી તેણે સાંભળી. વળી કેટલાકને પિતાના રાજાના તેજની જેમ હથી આરોને તેજી કરતા, કેટલાકને અને દોડાવતા, કેટલાકને રથને સજજ કરતા, કેટલાકને જંગમ મહેલની જેવા તંબુઓને તૈયાર કરતા અને કેટલાકને કવચ્ચે તથા શિરસ્ત્રાણને દૃઢ કરતા જોયા. આ પ્રમાણે જેતે For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy