SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, ઉ–આણા સહિત દયામાં ધર્મ છે. નહી તે જમાલીએ રાજ મુકી દીક્ષા લેઈમાખીની પાંખ ન દુહવાય એમ દયા પાળી પણ માત્ર વચન ઉથાપવાથી સંસાર વધાર્યો, અર્થત મહાવીર પ્રભુએ કહ્યું કે જે કામ કરવા માંડયું તે કઈ કહીએ અને જમાલી કહે કે પુરૂ થયા પછી એટલે કર્યા પછી કર્યું કહીએ, ઈહ ફક્ત શબ્દ માત્રાને ફેર ઉસૂત્ર ભાષણથી ભવ ભ્રમણ કર્યો, તે વધારે વિપરીત - રૂપણું રૂપ ઉસૂત્ર ભાષણનું શું કહેવું, શ્રી આનંદઘનજીએ ચિદમા પ્રભુના સ્તવનમાં કહ્યું છે. જેपाप नही कोइउत्सूत्र भाषण जिस्यु धर्म नहीं कोइ जग सूत्र सरीखो। सूत्रानुसार जे भविक किरीया करे शुद्ध चारित्र तेहनोज परखो ॥धार.१॥ બીજાં પાપ કર્યા છતાં ભવાંતરે સમતિની પ્રાપ્તિ થવાનો સંભવ છે, પરંતુ વિપરીત પરૂપણાદિક મિથ્યાત્વને લવ માત્ર પણ ભવાંતરને વિષે બેધિ જે સમકિતને નાશ કરે છે. કેમકે નામં માવો, ષષ્ટીશતક ગાથા ૧૦ મીથી જાણવું, વળી જુઓ કે પર્વત, વસુરાજા અજાહેમ અસત્ય વચનથી નરકે ગયા, અને નારદનો યશ છે, માટે ઉત્સુત્ર ભાષણ ન કરવું. બહાં કેઇને શંકા થશે કે જે કામ કરવા પ્રારંહ્યું તેમાં અનેક વિન્ન થાય છે તે પુરૂ થયા પછી થયું કહેવું એ ઠીક છે. તેણે સમજવું કે ભવિષ્યકાળે થવાનું છે પણ વર્તમાન કરવાના અભિલાષથી કર્યું કહીએ, જેમ કેઈમાણસ અમુક નગરે જવા નિકળે, તે વારે અવર પુરૂષે તેના સંબંધીને પુછયું જે મોટા ભાઈ ક્યાં ગયા છે, તેણે કહ્યું જે અમુક નગરે ગયા છે, હવે તે તે રસ્તામાં છે, ઠેઠ પહોંએ નથી, પણ ગયે કહીએ, વળી કઈ કે ઉપવાસ કર્યો છે તે બીજે દીવસે પુર્ણ થાય છે, તો પણ તેણે ઉપવાસ કર્યો કહીએ જેમ ઘર વસ્ત્ર બળવા લાગ્યું હોય તે સર્વત્ર નહી બન્યા છતાં પણ બન્યું કહીએ છે. માટે વીર વચન સત્ય કહીએ, પ્ર–પર ચાર પ્રકારના પુરૂષ કીયા ? ઉ–૧ ઉત્તમ પુરૂષ-દ્રાક્ષવત બાહ્યાવ્યંતર બેહુ નરમ, કેમળ હોય છે, તેમ બાહ્ય અત્યંતર ગુણ પણ હોય છે. ૨ મધ્યમ પુરૂષ-નારીએરવત, અંતર કેમળ હય, ઉપર કઠણ હોય છે. ૩ અધમ પુરૂષ-બેરવત, અંતર કઠણ ઉપર નરમ હોય. ૪ અધમાધમ પુરૂષ-સેપારીવત, માંહેથી અને બાહેરથી બેહુ કઠણ હોય એમ પુરૂષની પરિક્ષા કરવી. પ્ર–૫૩ નવ પ્રકારની ભક્તિ બતાવે ઉ–૧ ઉપાદેય સ્વરૂપને સાંભળવું, ૨ કીરતન કરવું, ૩ ચિંતવન કરવું, ૪ સેવા પૂજા કરવી, ૫ વંદન સ્તુતિ કરવી, ૬ ધ્યાન ધરવું, ૭ તન્મયતા કરવી, ૮ સમાધિ કરવી, ૯ એકમેક લય લીન થવું. ઈ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy