________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ છઠ્ઠી. જિમ જિમ એ ગિરિ ભેટીએરે-એ રાગ. જિમ જિમ કહીયે એહનેર, તિમ તિમ મુંગો થાય સાહેલી જાદવને કહેવાપણું, આપણનું શું જાય સાહેલી. માને તો ઘણું છમ ભલુંરે, નહી તે કહીએ ન કાંઈ સાહેલી. ૧ જે નહી પરણે નેમજી રે, લટકાળી એક નાર સાહેલી; વનના ફૂલ તણી પરે રે, જાશે એનો અવતાર સાહેલી. ૨ શોભા જે કરશો દેહનીરે, નારી વિના તે ફેક સાહેલી; છેલાઈ વેશે ચાલતારે, મહેણ દેશે લોક સાહેલી. મુખ મટેકે લટકે કરી રે, દેખાડશે કુણુ હેજ સાહેલી; અલબેલી વિણ એહનીરે, પાથરશે કુણ સેજ સાહેલી. ૪ આપણે તે કહીએ ઘણું રે, તે તો એને કાજ સાહેલી; પદ્માવતી જાણે માનશેરે, બાવિસમો જિનરાજ સાહેલી. ૫
ઢાળ સાતમી. સહિયર સફળ થયે દિન આજ, ગુરૂને દીઠડારેલોલ–એ રાગ. ગાંધારી કહે નારી વિના કુણ લાડ લડાવશે રે લોલ, પરણ્યા વિણ કુણ બીજી વહુ વર નામ ધરાવશે રે લોલ; ભોજાઈએ ફરી ભાખે છે, કે ઝાઝું ન તાણયેરે લોલ, છેલ છબીલા મહારાજ કે અમ કહ્યું માનીએરે લેલ. ૧ સગો પરણે નારી વિના કેઈ ના બારણે રે લોલ, સંઘ લઈ સિદ્ધાચલ જાશો જાત્રા કારણે રે લોલ
For Private and Personal Use Only