________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ ૧૯ નેમજીનું સ્તવન.
ઢાળ પહેલી. ગુરૂ મહારા શહેરમાં પધારીયાએ રાગ. સરસતી ચરણ નમી કરી, શ્રી શંખેસર રાયારે; વાલો મારીને મણિંદને ગાઇશુંરે, અરિહંત ગુણ સંભારતારે; ભવોભવ પાતિક પાયરે, વાલો એ તો બાવીસમો જિનરાય રે.
વાલ૦ ૧ મિત્ર વચને પ્રભુ આવીયારે, આયુધ શાલા માંહરે, વાલો. લીલાએ શંખ વજાડીયેરે, નેમિસર ઉછાહરે, વાલો૦ ૨ શંખ શબ્દને સાંભળીરે, ચિંતે દામોદર ધીરે વાલો૦ કુણ મુજ વયરી ઉપરે, થાવે હરિ દીલગીરે. વાલો૦ ૩ આયુધ શાલાએ આવીયારે, દીઠે નેમિકુમાર વાલે બળની પરીક્ષા તેણે કરીરે, હરિ દુ:ખભરી અપારરે. વાલો ૪ અંબરે સુર બોલ્યા હરિરે, ન કરે ફિકર લગારરે, વાલો અપરણ્યા નેમિ થશે, શિવ સુંદરી ભરતારરે. વાલ૦ ૫ એમ સુરવાણી સાંભળીરે, હરખે મોરારી ત્યારે વાલો. તો પણ સંશય ટાળવારે, આવે અંતે ઉરમાંહે રે. વાલો૦ ૬ વિવાહ મન ને મનરે, કહે ગોપીને જ્યારે વાલો. રૂષભવિજય કહે આગેલેરે, રચના રસ અભિરામરે. વાલો૦ ૭
ઢાળ બીછે.
રાયણને સહકાર વાલા–એ રાગ. સોળે શણગાર સજીરે સાહેલી, ગોપી બત્રીસ હજાર વાલા; નેમી જિનેસર સાથે લેઈ, આ સરોવર તીર વાલા.સેલે ૧
For Private and Personal Use Only