SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અભિવ્યક્તિમાં કોઈપણ પ્રકારે બાધક નથી થતા. (બનતા) કેમ કે અભિવ્યંજક કારણના હોવાથી જાગૃત સંસ્કાર પોતાને અનુરૂપ સ્મૃતિને જન્મ આપે છે. અને એ સ્મૃતિથી ગાયની યોનિનાં હજારો વર્ષો પહેલાંના સંરકારો જાગૃત થઈ જાય છે. આ વિષયમાં સૂત્રકારે એ હેતુ પણ આપ્યો છે કે ‘સ્મૃતિસંસ્કારયોરે પત્નાત્ અર્થાત્ સ્મૃતિ અને સંસ્કાર સમાન વિષયના જ હોય છે, પ્રતિકૂળ નહીં, એ એક નિશ્ચિત નિયમ છે. અર્થાત્ જેવો અભિવ્યંજક જન્મ હશે, તેને અનુરૂપ અનુભવથી સ્મૃતિ થશે. અને સ્મૃતિને અનુરૂપ જ સંસ્કાર જાગૃત થઈ જાય છે. એ સ્મૃતિ અને સંસ્કારનો નૈમિત્તિક (કારણ-કાર્યભાવ) સંબંધ છે. જીવાત્માથી સંબદ્ધ અંતઃકરણમાં અસંખ્ય સંસ્કાર પ્રસુપ્ત દશામાં પડી રહે છે. પરંતુ તેમાંથી તે સંસ્કાર જ જાગૃત થાય છે, કે જેમની સ્મૃતિ અભિવ્યંજક જાતિરૂપ કારણથી થાય છે. જાતિ, દેશ તથા કાળનું વ્યવધાન પણ સ્મૃતિ તથા સંસ્કારની સમીપતાને રોકી નથી શકતું. કેમ કે સ્મૃતિ અને સંસ્કારની એકરૂપતા = અભિવ્યંજક જાતિની સમાન જ હોય છે. ! ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir નોંધ -‘વૃષ–રંશ શબ્દનો અર્થ વ્યાખ્યાકારોએ માર્જર (બિલાડી) યોનિ કર્યો છે. જો કે એ શબ્દનો એ અર્થ પણ થાય છે. એટલા માટે મહર્ષિ દયાનંદે પણ વેદ ભાગ્યમાં વૃષ વંશઃ = માર્ગાર: (બિલાડી) (યજુ. ૨૪/૩૧) અર્થ કર્યો છે. પરંતુ એ અર્થ અહીં સંગત નથી કેમ કે અહીં સામાન્યરૂપથી જ કથન કરવામાં આવ્યું છે. ‘વૃષ’ શબ્દનો ધર્મ (પુણ્ય) તથા વંશ શબ્દનો અર્થ દુઃખ (અપુણ્ય) જ સંગત થાય છે. આ અર્થોમાં પ્રમાણ જુઓ - વૃષોત્તિ માવાન્ ધર્મ. (મનુ. ૮/૧૬) પિર્વાદ: શ્રેષ્ઠશ્વધર્મન્દ્વવૃવાચ્યતે(મહાભારત શાન્તિ, પર્વ ૩૪૨ અધ્યાય, ૮૯ શ્લોક) અને વંશશબ્દમાં વંશને સ્વા) ધાતુ છે. જે અનુસાર કાપવાવાળા=દુઃખ આપવાવાળા અપુણ્ય કર્મ વંશ કહેવાય છે. હવે – જીવવાની ઇચ્છા નિત્ય હોવાથી વાસનાઓનું અનાદિત્વ - ૩૨૪ तासामनादित्वं चाऽऽशिषो नित्यत्वात् ||१०|| સૂત્રાર્થ - (તાસTH) તે વાસનાઓનું (અનાસ્ત્વિમ્ ૨) અનાદિતા પણ સિદ્ધ છે. (આશિષ :) જીવવાની ઇચ્છાનું (નિત્યત્વાત) સદા બની રહેવાના કારણે. ભાષ્ય અનુવાદ – આશીઃ = ઇચ્છાનુંનિત્ય હોવાથી તેમની વાસનાઓનું અનાદિત્વ સિદ્ધ છે. જે એ આત્માશીઃ = પોતાની ઇચ્છા બધા પ્રાણીઓને દેખાય છે કે હું ન રહું એવું ન થાય અર્થાત્ હું સદા આવો જ (જીવતો) રહું, એ સ્વાભાવિક (કારણ વિનાનું) નથી તેનું કારણ એ છે કે ઉત્પન્નમાત્ર પ્રાણીઓની àપાત્મક દુઃખની સ્મૃતિનું નિમિત્તવાળો મરણ-ભય મૃત્યુધર્મના અનુભવ વિના કેવી રીતે હોઈ શકે ? અને સ્વાભાવિક વસ્તુ કારણનું આશ્રય નથી લેતી એટલા માટે અનાદિ વાસનાઓથી અનુવિદ્ધ = યુક્ત આ ચિત્ત (કર્માશયરૂપ) કારણવશ કેટલીક વાસનાઓને લઈને પુરુષના ભોગને માટે પ્રવૃત્ત થાય છે. (ચિત્તના પરિમાણના વિષયમાં) કેટલાક બીજા આચાર્યો એવું માને છે કે યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy