SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકરૂપતા=સહચર ભાવ બની રહેવાથી, ભાખ-અનુવાદ-વૃષ-રંશવિપાકો પુણ્ય-પાપરૂપ કર્મોનાં ફળોને અનુરૂપ ૩૮૦૦ કર્ભાશય પોતાનાં મથંગવા = પ્રકટ કરનારાં નિમિત્તના પ્રકટ થતાં (ઉપસ્થિત થતાં) પ્રકટ થઈ જાય છે. તે કર્ભાશય જો સેંકડો ગત = જન્મોથી અથવા દેશ (સ્થાન) ગત દૂરીથી, અથવા સેંકડો કલ્પોથી મન્તરિત= વ્યવધાનવાળાં (ઢંકાયેલાં) હોવાથી છૂપાયેલાં છે, તેમ છતાં પણ પોતાના ચંન=પ્રકટ-કરનારા નિમિત્તથી દ્રા=જલ્દીથી જ અભિવ્યક્ત થઈ જાય છે. તેનું કારણ આ છે) પુર્વ અનુભવ કરેલાં પુણ્ય-પાપના ફળ ને અનુરૂપ સંસ્કાર રૂપથી નિષ્પન્ન વાસનાઓને લઈને કર્ભાશય પ્રગટ થઈ જશે, કેમ કે જન્મ આદિથી વદિત = છુપાયેલી આ વાસનાઓની તુલ્ય જાતીયકર્મ જ મિથંન = પ્રકટ કરનારું નિમિત્ત બની જાય છે. અને એટલા માટે જ જન્મ આદિના વ્યવધાનનો અભાવ હોય છે. જે પ્રકારનો અનુભવ હોય છે. (થાય છે, તેવા સંસ્કાર બને છે, અને તે સંસ્કાર કર્મવાસનાને અનુરૂપ હોય છે, અને જેવી વાસનાઓ હોય છે, tવી જ સ્મૃતિ હોય છે (થાય છે, એટલા માટે જ્ઞાતિ = જન્મ, દેશ, કાળથી વ્યવદિત = વ્યવધાનવાળા સંસ્કારોથી સ્મૃતિ થાય છે, અને સ્મૃતિથી ફરી પાછા સંસ્કાર પ્રકટ થાય છે. આ પ્રકારે સ્મૃતિ અને સંસ્કાર કર્ભાશયના ફળને અનુરૂપ વૃત્તિતમવશ = અભિવ્યંજક કારણના ઉપસ્થિત થવાથી પ્રકટ થાય છે. એટલા માટે જન્મ આદિથી ચેવદિત = વ્યવધાનવાળી પણ આ વાસનાઓના નિમિત્તffમાવ નો ૩છે = નાશ ન થવાના કારણે મનન = વ્યવધાનરાહિત્ય = સમીપતા સિદ્ધ છે. ભાવાર્થ-વાસનાઓને અનુરૂપ મનુષ્ય વગેરેને જન્મ મળે છે. તે જન્મોમાં આ વાસનાની અભિવ્યક્તિ થાય છે, ત્યારે બીજી વાસનાઓ અભિભૂત અથવા તિરોહિત (દબાયેલી) થઈને ચિત્તમાં સ્થિત રહે છે. એવી સેંકડો જન્મોથી અથવા અનેક જન્મોથી પૂર્વની વાસનાઓ ભિન્ન-ભિન્ન જાતિઓ = જન્મો તથા દેશ = સ્થાનો તથા લાંબાકાળના વ્યવધાનોથી છૂપાયેલી હોવાથી કેવી રીતે અભિવ્યક્ત થાય છે? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે - બધા જ જીવોને વાસનાઓને અનુરૂપ જન્મ ઈશ્વરની વ્યવસ્થાથી મળે છે. અને તે જન્મ (વિભિન્ન યોનિઓનાં શરીરનો સંયોગ) વાસનાઓને અનુરૂપ સંસ્કારોના અભિવ્યંજક (પ્રકાશક) હોય છે. (થાય છે) જાતિ, દેશ, તથા કાળનું નજીકપણું જ વાસનાઓના સંસ્કારોની અભિવ્યક્તિનું કારણ નથી હોતું બબ્બે સંસ્કાર ભલે ગમે તેટલા પહેલાંના જન્મોના હોય, ગમે તેટલા જૂના હોય, અથવા ગમે તેટલા દૂર સ્થાનના હોય, અભિવ્યંજક યોનિને મળતાં તેમની અભિવ્યક્તિ તરત જ થઈ જાય છે. ઉદાહરણ સ્વરૂપ એક જીવાત્મા મનુષ્ય યોનિમાંથી ગાયની યોનિમાં જન્મ લે છે, અને તે જીવના વાસનાનુરૂપ ગાયના સંસ્કારોને તો હજારો વર્ષો થઈ ગયાં છે, તેમ છતાં પણ ગાયની યોનિ તે પ્રસુપ્ત સંસ્કારોને તરત જ અભિવ્યક્ત કરાવી દે છે. તેનાથી જુદા સંસ્કાર તેમની કેવલ્યપાદ ૩૨૩ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy