SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુચિમાં શુચિનું જ્ઞાન, અનાત્મામાં આત્મજ્ઞાન, આત્મામાં અનાત્મજ્ઞાન, દુઃખમાં સુખજ્ઞાન અને સુખમાં દુઃખન્નાન કરવું અવિદ્યા છે. અર્થાતુ અવિદ્યા શબ્દ વિપર્યય તથા મિથ્યાજ્ઞાનનો પર્યાયવાચી છે. અહીં અવિદ્યાને પુરુષ અને દશ્યના સંયોગને કારણ માન્યું છે અને અવિદ્યાની ઉત્પત્તિ પુરપ-દશ્યના સંયોગ થતાં થાય છે. આ અન્યોન્યાશ્રય દોષ છે, એવી શંકા થાય છે અને રૂતરેતરાયા વ ાઈ ન પ્રાન્ત, નદીમાળે ઇતરેતર આશ્રયથી કાર્યો સિદ્ધ નથી થતાં. ત્યારે એનું સમાધાન આ છે. અવિદ્યાના સંસ્કાર અનાદિકાળથી ચાલતા રહે છે, તે યોગ્ય-અવસર, સ્થાન તથા કારણ મળતાં ઉબુદ્ધ (જાગ્રત) થઈ જાય છે અને પુરપ ભોગ-આસક્ત થઈ જાય છે. પરંતુ જે યોગી પ્રણવ-ઉપાસના, યોગનાં અંગોનું અનુષ્ઠાન અને ઉત્કૃષ્ટ વૈરાગ્યથી એ વાસનાઓને દગ્ધબીજવત કરી દે છે, તે ભોગ આસક્ત ન થતાં મોક્ષનો અધિકારી બની જાય છે. એટલા માટે એને મોક્ષ-પ્રાપ્તિથી પૂર્વ સમયમાં દશ્યા=ચિત્તવૃત્તિનો સંયોગ, થતો હોવા છતાં પણ અવિદ્યાગ્રસ્ત નથી કરી શકતી અને જયાં પ્રકૃતિનું પ્રયોજન ભોગ કરાવવાનું છે, ત્યાં અપવર્ગ= મોક્ષ પ્રાપ્ત કરાવવાનું પણ છે. માટે પ્રકૃતિનો સંયોગ અવિદ્યાનું જ કારણ નથી, બલ્ક વિદ્યાનું પણ કારણ હોવાથી મોક્ષનું પણ કારણ છે. આ તો પુરુપની પરીક્ષા છે કે તે કોનું ચયન કરે છે. તેમના સંયોગથી તેમનાં સ્વરૂપોનું સમ્યફજ્ઞાન થતાં કૈવલ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. અવિદ્યાના સંસ્કારોના કારણે સંયોગ થતાં પુરપ ભોગ-આસક્ત થઈ જાય છે અને વિદ્યા=યથાર્થજ્ઞાન દ્વારા સંસ્કારોને ફલોન્મુખ કરવામાં અસમર્થ કરીને અપવર્ગનો અધિકારી બની જાય છે. માટે ભોગ- આસક્ત થવામાં પ્રકૃતિ-પુરુપનો સંયોગ જ કારણ નથી, અવિદ્યા અને અવિદ્યાના સંસ્કાર પણ કારણ છે અને મોક્ષ પ્રાપ્તિમાં વિવેકખ્યાતિની ઉત્કૃષ્ટ-દશા પ્રાપ્ત કરવા માટે પ્રણવ-જપ, યમ-નિયમાદિનું પાલન, વૈરાગ્ય અને વિદ્યા, કારણ છે. કેમ કે અવિદ્યા બધા જ લેશોનું મૂળ છે. અને વિદ્યા બંધનમાંથી મુક્તિના બધા ઉપાયોની જનની છે. એટલા માટે શાસકાર અવિદ્યાને બંધનનું કારણ અને વિદ્યાને મોક્ષનું કારણ માને છે. ૨૪માં હવે-અનાગત દુઃખ (ભવિષ્યનું) હેય= ત્યાજ્ય છે અને તેનું કારણ પ્રકૃતિ અને જીવનો સંયોગ કારણસહિત કહેવામાં આવ્યો છે. ત્યાર પછી “હાન વિષે - तदभावात्संयोगाभावो हानं तदृशे : कैवल्यम् ॥२५॥ સુત્રાર્થ - (તHવતા એ અવિદ્યા=મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી જે IIMG!). ચિત્તવૃત્તિ અને પુરુષના સંયોગની નિવૃત્તિ થાય છે (તત) તે (દીનY) હાન-દુઃખોથી છૂટવું છે. (શે : વેન્ચમ) અને દ્રષ્ટા પુરુષનું સત્ત્વ આદિ ગુણોથી જુદું થવું વ7 = મોક્ષ છે. ભાપ્ય અનુવાદ – તવાત) એ એન = મિથ્યાજ્ઞાનની વાસના નિવૃત્ત થવાથી ૧૭૬ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy