SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એથી બધા પ્રકારની વિદ્યા સંપાદન કરવાના વિષયમાં પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આપણા દેશમાં નાની વયમાં વિવાહ (લગ્ન) કરવાના કારણે વિદ્યા સંપાદન કરવામાં અડચણ થાય છે, અપવિત્ર પદાર્થમાં પવિત્રતા માનવી એ અવિદ્યા છે. ઈશ્વરનું ધ્યાન, એ પૂર્ણ વિદ્યા છે. એ જ બધી વિદ્યાઓનું મૂળ છે. કોઈ પણ દેશમાં આ વિદ્યાનો હાસ (ન્યૂનતા) થવાથી તે દેશને દૂર્દશા આવીને ઘેરે છે.” (ઉપદેશ મંજરી-ત્રીજો ઉપદેશ) ભાખ-અનુવાદ-વિર્ય = મિથ્યાજ્ઞાનની વાસના અવિદ્યા છે. આ મિથ્યા જ્ઞાનની વાસના (સંસ્કાર)થી માવલિતા- ઘેરાયેલી બુદ્ધિવૃત્તિ પોતાના કાર્યની નિષ્ઠા = સમાપ્તિ = પૂર્ણતા, જેને ‘વિવેકખ્યાતિ' કહે છે, તેને પ્રાપ્ત નથી થતી. માટે ધારામિથ્યાજ્ઞાનના સંસ્કારોના કારણે ગુણોની પ્રવૃત્તિપૂર્વક બુદ્ધિવૃત્તિ વારંવાર સંસારમાં આવતી રહે છે. અને જયારે એ બુદ્ધિ વિત્તવૃત્તિ પુરુષ૦થાતિપર્યવસાના = વિવેકગ્રાતિ સુધી પોતાના કાર્યને પૂરું કરી લે છે, ત્યારે ચરિતાંધવIRI= પોતાનું કાર્ય સમાપ્ત થવાથી કૃતકૃત્ય થઈ જાય છે. અને જેનું મન = મિથ્યાજ્ઞાન દૂર થઈ ગયું છે, માટે બંધનનું કારણ મિથ્યાજ્ઞાન નિવૃત્ત થવાથી ફરીથી સંસારમાં પાછી નથી આવતી. અર્થાત તે પુરુપનો સંયોગ પ્રાપ્ત નથી કરતી. આ વિષયમાં કોઈ (પૂર્વપક્ષી અથવા નાસ્તિક) =નપુંસક વ્યક્તિના ૩પરિવાર = કથન દ્વારા ૩ીતિ = આ વિષયને સ્પષ્ટ કરવા માટે શંકા કરે છે - મોહિત તથા પુત્ર કામનાવાળી સ્ત્રી નપુંસક પુરુષને કહે છે કે હે પંડક (નપુંસક) માર્યપુત્ર= સ્વામિન! મારી બહેન સંતાનવાળી થઈ ગઈ છે અને હું કેમ નથી થઈ? તે નપુંસક એ રમીને કહે છે કે હું મરીને તારાથી સંતાન ઉત્પન્ન કરીશ. એ નપુંસક પુરુષની માફક અર્થાતુ જેમ-વિદ્યમાન નપુંસક સંતાન પ્રાપ્તિ નથી કરાવી શકતો, તો મરી ગયા પછી તેનાથી શું આશા રાખી શકાય? એ જ રીતે વિદ્યમાન જ્ઞાન ચિત્તવૃત્તિને નિવૃત્ત નથી કરતું તો વિનષ્ટ અર્થાત્ નિવૃત્ત થઈને શું કરશે? આ પ્રકારનો શું પ્રત્યાગ = વિશ્વાસ કરી શકાય છે? આ પૂર્વપક્ષનું સમાધાન આચાર્યપદને પ્રાપ્ત ઉત્તરપક્ષી કહે છે – અરે ભદ્ર પુરુષ! બુદ્ધિની નિવૃત્તિ જ મોક્ષનથી. મન=બંધનના કારણભૂત અવિદ્યાની નિવૃત્તિ થવાથી જ બુદ્ધિનિવૃત્તિ થાય છે અને તે મન = મિથ્યાજ્ઞાન બંધનનું કારણ છે. તેની નિવૃત્તિ દર્શન = વિવેકખ્યાતિથી થઈ જાય છે. આ વિષયમાં ચિત્તવૃત્તિની નિવૃત્તિ થવી જ મોક્ષ છે, આ એ પૂર્વપક્ષીને જે તપ્રમ: = ભ્રાન્તિ થઈ રહી છે, એ અસ્થાને અર્થાત્ પ્રસંગની વિરુદ્ધ જ છે. કેમ કે અહીં ભ્રમનો કોઈ અવસર જ નથી. ભાવાર્થ-પૂર્વ સૂત્રમાં “સંયોગ'નું સ્વરૂપ તથા પ્રયોજન પણ સ્પષ્ટ કર્યું છે. પુરુષ અને દશ્યનું કારણ આસૂત્રમાં કહ્યું છે. આ અવિદ્યા શું છે? તેની વ્યાખ્યા (૨/૫) સૂત્રમાં દ્રષ્ટવ્ય છે. અર્થાત અનિત્યમાં નિત્યજ્ઞાન,નિત્યમાં અનિત્યજ્ઞાન, શુચિ (પવિત્ર)માં અશુચિજ્ઞાન, સાધન પાદ ૧૭૫ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy