SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ છો. ભાગ ૨ જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૧૫ સિદ્ધરાજ જયસિ હુ. હવે જયસિહઁદેવ પોતે રાજ્ય કરવા લાગ્યા. તેણે સમુદ્ર મર્યાદિત પૃથ્વી જીતી ખખૈર નામના સૂરને સિદ્ઘ ( વશ ) કા; તેથી તે સિદ્ધરાજના અપર ( બીજા ) નામથી ઓળખાવા લાગ્યા. તેના પ્રતાપથી સર્વ અધિકારીએ થરથર ક`પતા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં સજ્જનની પછી તેના પુત્ર પરશુરામ ઢંડાધિપ થયાહતા. તેને પણ ચિંતા થઇ કે, મારા પિતાએ શ્રીગિરિનારના ઉડ્ડારમાં ખરચી નાંખેલી ઉપજ જયસિંહૃદેવ માગશે તે હું ક્યાંથી આપીશ તેથી તેણે વામનસ્થળીના શાહુકારાપાસે જઈ ઉપરની હકીકત જાહેર કરી. ત્યારે તેમણે તેનીતી સર્વ ઉપજ આપવાનું માથે લીધું. એવામાં જયસિંહૃદેવ પણ વિજયયાત્રા કરતા કરતા વામનસ્થળીમાં જઈ પહેોંચ્યા અને પરશુરામનીપાસે ઉપજ માગી. પરશુરામે નમ્રતાપૂર્વક કહ્યુ` કે, “ મહારાજ મે' સર્વ ઉપજ રેવતાચળઉપર નિર્ભય સ્થાનકે સ્થાપત કરી છે; માટે કૃપા કરી ત્યાં પધારો. ” ત્યારે બ્રાહ્મણી બોલ્યા કે, “ મહારાજ, આ પર્વત લિ’ગાકાર છે, માટે ન ચઢાય.” પણ કર્ણદેવ પૂર્વે તે પર્વતપર ચઢયા હતા એવી ખાત્રી થવાથી જયસિહંદેવ પાતે પણ તે પર્વતપર ચઢયો. ત્યાં જઇ ગજેન્દ્રપ કુંડમાં સ્નાન કરીને શ્રીનેમીશ્વર ભગવાનની પૂજા કરી. પછી ધર્મશાળામાં આરામ લેવાને બેસી ત્યાં પ્રાસાદની રમ્યતા નિહાળી બોલ્યા કે, જેણે આ અલૈાકિક પ્રાસાદ કરાવ્યા છે તેનાં માતપિતાને ધન્ય છે ! ” જયસિંહૃદેવને એ પ્રમાણે પ્રસન્ન થયેલા જોઈ પરશુરામ બક્લ્યા, “મહારાજ, આ પૃથ્વીપર શ્રીકર્ણદેવ અને મિનળદેવી એ એનેજ ધન્ય છે. જેમના આપ પુત્રરત્ન છે. કારણ ત્રણ વર્ષની સૈારાષ્ટ્રની ઉપજ ખરચી મારા પિતા સજ્જને અધાવેલા ‘ કર્ણવિહાર ' નામના આ પ્રાસાદ છે. માટે જો આપની tr :
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy