SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી કુમારપાલ પ્રબંધ. કવચ ધારણ કરવું અને રેગ થાય તે ઔષધ લેવું; તેમ મરણને મહા ભય નજીક આવે તે ધર્મનું સેવન કરવું એ સપુરૂષને ઉચિત માર્ગ છે.” આ પ્રમાણે અંબિકાની આજ્ઞાથી સજજને પાષાણુની ખાણ મેળવી. છ માસમાં શ્રીમીશ્વર ભગવાનનું ચૈત્ય કળશ સુધી લાવી મૂક્યું. પણ જેક સુદિ પ ને દિવસે એકાએક શિવેદના થવાથી તેને દેવીનું વચન યાદ આવતાં મરણવિષે ખાત્રી થઈ. તેથી તેણે પિતાને પુત્ર પરશુરામને દવજારોપણ કરવાને આદેશ આપી પિતે શ્રીભદ્રેશ્વરસૂરિપાસે સંસ્તારવ્રત અંગીકાર કરી આઠ દિવસ અનશન પાળી સ્વર્ગે સિધાવ્યું. પછી તેના પુત્ર પરશુરામે તેની આજ્ઞા પ્રમાણે વિજારે પણ કર્યું. - હવે કર્ણદેવના મનમાં એવું આવ્યું કે, “એકજ સ્થળમાં બે રાજાઓની સત્તા શા માટે જોઈએ?” તેથી તેણે આશાપલ્લીમાં લાખ ભિ@સાથે રેહેનાર પ્રબળ ભુજબળવાળા આશા નામના ભિલપતિને જીતી લેઈ ત્યાં આગળ પોતાના નામથી કર્ણાવતી નામની નગરી વસાવી. તે એકંદર ૨૯ વર્ષ રાજ્ય કરી સ્વર્ગે ગયે. ૧ મરણ સમય નજીક જાણું, શરીર ઈદિ વિગેરે ઉપરથી મમતા મૂકવાના સંકલ્પપૂર્વક પથારીમાં શયન કરવું તેને સંસ્તારવ્રત (સંથારે) કહે છે. ૨ અન્નપાણીનો ત્યાગ કરી. For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy