SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાનની સ્થાપના ૬૫ દરમ્યાન બાદશાહ પાસે ખંભાત પાછા જવા માટે મોમીનખાન ઉપર ખાસ હુકમ કઢાવ્યો. પણ ફરી અમીર-ઉલ-ઉમરાની સલાહને માન આપી મામીનખાને નિશ્ચય કાયમ રાખ્યો અને ખેડેથી કૂચ કરી અમદાવાદ બહાર કાંકરિયા તળાવ ઉપર જઈ પડાવ નાખ્યો. ભંડારીના ત્રાસથી અમદાવાદ કંટાળી ગયું હતું. આ ચડાઈને સમાચાર સાંભળી જે વેપારીઓ માલ લઈ શહેરમાંથી નીકળ્યા તેમને મોમીનખાને દશાંશ જકાત લઈ સહીસલામત જ્યાં જવું હતું ત્યાં પહોંચાડ્યા, અને મારવાડીઓનું ઘેરાએલું લશ્કર બહાર નીકળી ખેતરોના પાક લૂંટતું હતું તેનો બંદોબસ્ત કરી લૂંટનારાઓને પકડવ્યા. એવામાં બાદશાહ તરફથી બીજું ફરમાન આવ્યું અને એમાં મહારાજાને સુબાના પદ ઉપર કાયમ કર્યાનું તથા ભંડારીને બદલે કામચલાઉ અભયકરણ પટાવતને નીમ્યાનું લખ્યું હતું. બાદશાહી હુકમ જોઈ મોમીનખાને કહેવડાવ્યું કે પોતે હુકમને તાબે થશે, પણ હુકમ મુજબ ભંડારી પણ શહેર છોડે ત્યારે પોતે જશે. એ અરસામાં મોમીનખાનને સુરત અને જુનાગઢથી મદદ આવી પહોંચી.૨૦ આ વખતે શહેરમાં તંગી પડવાથી ભંડારીના કેટલાક મારવાડી લશ્કરીઓ શહેર બહાર નીકળી મોમીનખાનને મળ્યા. ફરીથી બાદશાહી ફરમાનને અમલ કરવાનું મોમીનખાનને કહેવામાં આવ્યું ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે ભંડારી કિલ્લો છોડે તથા શહેરમાંથી નાસેલા માણસો પાછા આવી વસે અને શાંતિ થાય કે તરત પિતે ખંભાત જશે. અમદાવાદ લીધું આ વખતે દામાજી લશ્કર લઈને મોમીનખાનને આવી મળે. આ ખબર ભંડારીને મળતાં એણે દામાજીને કહેવડાવ્યું કે મોમીનખાનને પક્ષ છોડે તે ખંભાત-અમદાવાદ સુદ્ધાં આખા ગૂજરાતમાં અરધો ભાગ આપું. આ હકીકત દામાજીએ મોમીનખાનને કહી ત્યારે વખત વિચારી મોમીનખાને અમદાવાદના હવેલી પરગણાનાં કેટલાંક ગામ અને વિરમગામ પરગણું સ્વતંત્ર દામાજીને આપવા કહ્યું અને દામાજીનું સમાધાન કર્યું. હવે બહારના લશ્કરે ઘેરો મજબૂત કર્યો. મોમીનખાને ભંડારીને સમજાવી શહેર સેંપી દેવા અહમદીના કર્તાને એકવાર મોકલ્યો, પણ કાંઈ વળ્યું નહિ. મરાઠાઓને લીધે અમદાવાદ શહેરને એટલું નુકસાન પહોંચ્યું કે તેમની મદદ લીધા માટે મોમીનખાનને પિતાને પસ્તાવો થયો,૨ અને અંદરથી પોતાનાં માણસોને કહ્યું કે મરાઠાઓને બનતાં સુધી શહેરમાં ન પેસવા દેવા. ભંડારીને જ્યારે લાગ્યું કે હવે વધુ વખત ટકાશે નહિ ત્યારે થાકીને વાહનની સગવડ અને એક લાખ રૂપિયા સાથે આબરૂર નીકળી જવાની શરતે શહેરનો કબજો સોંપ્યો. મોમીનખાને ગૂજરાતના પાટનગરમાં પ્રવેશ કર્યો. આ સમાચાર બાદશાહને પહોંચ્યા ત્યારે મોમીનખાનની ૨૦ મિરાતે અહમદી ગુ. ભા. (કુ. મો. ઝ) આ હકીકત ટૂંકામાં ગેઝેટીઅરના ગુજરાતના ઈતિહાસમાં (VoI.J.Part I.)માં આપેલી છે. અમદાવાદ પાસેની લડાઈ અને બીજી ઘણી વાતો જેમાં ખંભાતને કોઈ સંબંધ નથી તેમજ મોમીનખાનના ચરિત્રને ખાસ કામની નથી તેવી છેડી દીધી છે. ૨૧ મિરાતે અહમદી ગુ. ભા. (ક. મો. ઝ) ૨૨ Bom.Gaz...Part1.P.320. અહમદીકાર લખે છે કે દામાએ પોતે પોતાના લકરીઓને તેફાન કરતાં વાર્યા હતા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy