SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાપત્ય ૯૯ રાજ્યસત્તાની નીચે કામ કરી સિદ્ધ કરી બતાવ્યું. હિંદુ મંદિરની અલંકારોથી ભરચક મકાન આંધવાની રીતમાં મુસલમાનેાએ કાંઈક સાદા આણી. સાથે મુસલમાનેાની તદ્દન સાદી બંધકામની રીતમાં હિંદુ કારીગરાએ અલંકાર ઉમેર્યાં. આનું પરિણામ એ આવ્યું કે અલંકાર માપસર નાખવાનું કારીગરા શીખ્યા. સાદાઈની સાથે મળી ગએલા અલંકારા ઊલટા વધારે શાલવા લાગ્યા. મૂર્તિઓને બદલે કુદરતની વનસ્પતિની સંપત્તિના અલંકારો વાપરીને કારીગરેએ નવા રાજકર્તાઓનાં મન જીતી લીધાં. સુસલમાન મકાનની આંધણી નકશા-planingમાં પણ પ્રાચીન પરંપરાગત હિંદુ રીત ખાસ બદલાઈ નહિ. હિંદુ મંદિર છૂટક વ્યક્તિએ દેવદર્શન કરી શકે એ ભાવના ઉપર ધાએલાં હાય છે. એટલે એ કરે બહુ મેટાં હૈાતાં નથી. જે મંદિરા વિશાળ બાંધવામાં આવે છે ત્યાં પણ દેવના ગર્ભગૃહની પાસે તે થોડાં ગણ્યાંગાંઠ્યાં માસા જ જઈ શકે એવી વ્યવસ્થા હાય છે. ગર્ભગૃહ એવું ઊંડાણમાં અને અંધારામાં હોય છે કે દીવા વગર દેવદર્શન થઈ શકે નિહ. મુસલમાન ધર્મ વ્યક્તિ કરતાં સમૂહની પ્રાર્થનાની ભાવના વ્યક્ત કરે છે. આખા સમૂહ શ્વરપ્રાર્થના એકીસાથે કરી શકે એવી બાંધણીને જ એમાં સ્થાન છે. ગુજરાતના હિંદુ કારીગરે। આ અગત્યની વાત સમજી ગયા અને પ્રાચીન હિંદુ માંદરાની બાંધણીને મુસલમાન મસ્જિદોને ધાવે એવી રીતે બદલી નાખી. સેળ થાંભલાના અષ્ટકોણ મંડપને મસ્જિદમાં કાયમ રાખ્યા. પરંતુ મસ્જિદનું કદ વધારવા માટે એની અનેક હારમાલા બનાવી, આમ બાંધણીને એના માલિક તત્ત્વામાં કાયમ રાખવાથી મકાનની વિશાળતાને અનુરૂપ બનાવવા માટે થાડા ફેરફાર કરવા પડચા. થાંભલાને વધારે ઊંચા સળંગ બનાવવાને બદલે એક મેટા થાંભલાના એવા ભાગ કર્યા કે ખાંધણી મનેાહર લાગે અને કુશળ આંખ જ તે પારખી શકે. તારણા શાભા માટે કાયમ રાખ્યાં. બીજા અનેક અલંકારા ભીંતની આંતરી, ગેાખ, મહેરાબ, મીંબર વગેરે જગ્યાએમાં છૂટથી વપરાયા. હિંદુ બાંધણીમાં કમાન નહેાતી તે ઉમેરી એ મેટામાં મોટા ફેરફાર થયા. શરૂઆતની મસ્જિદેશમાં મીનારા દેખાવ પૂરતા નામના કરતા તે ધીમેધીમે શિલ્પીની કારીગરી બતાવવાનું મુખ્ય સાધન બની ગયા. આ રીતે ગુજરાતનું મુસલમાન સ્થાપત્ય ઘેાડા ફેરફાર સાથે એના ઐાલિક તત્ત્વામાં હિંદુ રહ્યું એ એની ખાસ વિશિષ્ટતા છે.૨ ખંભાતનું સ્થાપત્ય સ્થાપત્ય કલાના આવા સાખીન દેશનું ખંભાત એ સાથી માનીતું બંદર હતું. ગૂજરાતના ઇતિહાસમાં હિંદુ સમયમાં સાલંકી-ચાલુક્ય સમય સ્થાપત્યને માટે સાથી સમૃદ્ધ ગણાય છે, અને ૨ ગુજરાતના સ્થાય માટે જુએ: Hope and Fergusson: Ahmedabad Architecture. P. 21-69-77. E.B. Havell. A lHand Book of Indian Ait. P. 70, 150; Indian Architecture P. 69. Fergusson: His. of Indian & Eastern Architecture, 229. વધુ મત અને ચર્ચા માટે જુએ આ લેખકના ‘ગુજરાતનું પાટનગર ’ના સ્થાપત્યનાં પ્રકરણે. અમદાવાદની ચર્ચા ખંભાતને લાગુ પડે છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy