SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર નવમું રાજા વીતભય નગરમાં રાજય કરતો હતો, તેને વિદ્યુમ્માલી નામના દેવ પાસેથી શ્રીમહાવીર પ્રભુની ચમત્કારી પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, ઉદયન રાજા તેની હમેશાં પૂજા-સેવા કરતો, એક વખતે ગંધાર નામે શ્રાવક તે વિસ વ્યાખ્યાનમ્ પ્રતિમાની પૂજા કરવા તે નગરમાં આવ્યો, પરંતુ તે માંદો થઈ ગયો. તેને રાજાની દેવદત્તા નામે દાસીએ શુશ્રષા કરી સાજો કર્યો, તેથી સંતુષ્ટ થયેલો ગંધાર તે દાસીને અદ્ભુત સ્વરૂપ કરનારી ગોળી આપી પોતાને સ્થાને ગયો. તે ગુટિકા ખાવાથી દેવદત્તા અતિશય સ્વરૂપવતી થઈ; તેથી લોકમાં તે દાસીની સુવર્ણગુલિકા નામથી પ્રસિદ્ધિ થઈ. આ વખતે માળવા દેશનો સ્વામી અને ચૌદ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો ચંડપ્રદ્યોત નામે રાજા ઉજ્જયિની નગરીમાં રાજ્ય કરતો હતો, તે મહાવીરપ્રભુની પ્રતિમા સહિત સુવર્ણગુલિકાનું હરણ કરી ગયો. તે ખબર પડતાં ઉદયન રાજાએ ચડાઈ કરી રણસંગ્રામમાં ચંડપ્રદ્યોતને પકડી બાંધ્યો, અને તેના કપાળમાં “મારી દાસીનો પતિ” એવા અક્ષર લખાવ્યા. પછી તેને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કરતો ઉદયનરાજા વર્ષાકાલમાં રસ્તામાં આવેલા દશપુર નગરમાં રહ્યો, અને પર્યુષણ પર્વને દિવસે તેણે પોતે ઉપવાસ કર્યો. તેણે રસોઇયાને બોલાવીને કહ્યું કે - ચંડપ્રદ્યોતને પૂછી તેની ઇચ્છા મુજબ ભોજન જમાડજે. હુકમ મુજબ રસોઇયાએ તેની પાસે જઈ કહ્યું કે - “આજે મહારાજાને ઉપવાસ છે, તેથી આપને જે જમવું હોય તે કહો, ચંડપ્રદ્યોતે વિચાર કર્યો કે - “આજે મને જુદો બેસાડી ઝેરથી મારી નાખવાનો પ્રપંચ આદર્યો જણાય છે!” એમ ધારી તે બોલ્યો કે - “હું પણ શ્રાવક છું, તેથી મારે પણ આજે ઉપવાસ કરવો છે”. For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy