SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર નવમ વ્યાખ્યાનનું e નહિ. જમીનનું તળીયું મણિ કે પત્થરથી બાંધેલ હોય, અથવા છોબંધ હોય, તો પણ વર્ષાકાલમાં સાધુસાધ્વીએ પાટ અને પાટલો અવશ્ય રાખવો, અને તે ઉપર સૂવું-બેસવું. કેમકે-ચોમાસામાં જમીન ઉપર સંથારો પાથરીને સૂવાથી તથા આસન પાથરી બેસવાથી કુથુવા પ્રમુખ જીવોની વિરાધના, પોતાને શરીરે | અજીર્ણ, શરદી વિગેરે રોગ, અને અપકાયનો વધ વિગેરે દોષ લાગે. (૩યામે) તેથી ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટ-પાટલો ન રાખવો એ કર્મબંધનું અથવા દોષોનું કારણ છે. સૂત્રકાર એ જ બાબત દૃઢ કરે છે - (મિહિસાસળિયસ) જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ નથી એવા સાધુને, (૩yવારસ) વળી ગ્રહણ કરેલી પાટ એક હાથ જેટલી અથવા તેથી સહેજ ઊંચી હોવી જોઈએ; જેથી કીડી પ્રમુખ જીવોનો વધ ન થાય, અથવા સર્પાદિન ડસી જાય. વળી તે પાટ હાલચાલે નહિ એવી-નિશ્ચલ હોવી જોઈએ, એટલે પાટની કાઠીઓ બંધનથી મજબૂત બાંધવી જોઈએ, જેથી જરા પણ હાલચાલે નહિ કેમકે ઢીલું બંધન હોય તો તેમાં ભરાઈ રહેલ માંકડ-કુંથુવાદિને સંઘર્ષ થવાથી તેઓનો વિનાશ થાય; આવા પ્રકારની ઉંચી અને નિશ્ચલ પાટ જેને નથી, એટલે નીચી અને હાલતા-ચાલતી પાટ જેને છે એવા સાધુને; ઉદ્ઘiધરસ) તે પાટની કાઠીઓ પખવાડીયામાં એક વખત બાંધવી, પણ પ્રયોજન વગર બે ત્રણ કે ચાર વાર બાંધવાથી સ્વાધ્યાય-ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય; વળી પાટ માટે ચંપા ૬૧૭ ૬૧૭ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy