SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ ઔષધ છે, એવો નિશ્ચયપૂર્વક વિનાશ કરનાર દશમેહનીય આદિના ઉદયરૂપ કરેગ થયો અને તે રેગ જેને સમ્યકત્વ બીજાદિકની પ્રાપ્તિ નથી થઈ તેવા પુરૂષથી સાધ્ય નથી, એ કારણે તે શુકલપાક્ષિક મહાપુરૂષ એમ વિચારે કે-“આ કારમા કર્મરોગના પ્રતાપે માતાપિતાદિ સમ્યકત્વ આષધ વિના નિશ્ચયપૂર્વક મરી જશે અને જે આપ મળશે તે બચવાને સંભવ છે તથા વ્યવહારથી કાલસહ પણ છે'આ પ્રમાણે વિચારીને યથા યોગ્ય ગૃહવાસના નિર્વાહની ચિંતા કરીને, તેઓને તેવી જ અવસ્થામાં સ્થાપીને, પોતાનું ઔચિત્ય કરવા પૂર્વક માતાપિતાદિકના સમ્યત્વ આદિ ઔષધ નિમિત્તે માતાપિતાદિ ગુરૂજનનો ત્યાગ કરે, તો તે ત્યાગ પોતાને અભીષ્ટ એવા સંયમની સિદ્ધિ માટે તત્ત્વભાવનાથી સારોજ છે અને એવી સ્થિતિમાં એવી ભાવનાપૂર્વક એ ત્યાગ ન કરે, એજ મિથ્યાભાવનાથી ત્યાગ છે, કારણ કે-આવા વિષયમાં પંડિતોને ફલ પ્રધાન છે, એ હેતુથી આસભવ્ય એવા ધીર આત્માઓ ફલનેજ જેનારા હોય છે. તે પછી એટલે એ રીતિએ વિધિ મુજબ માતાપિતાદિ ગુરૂજનોને પણ ત્યાગ કરીને, કલ્યાણના અર્થિ આત્માએ દીક્ષાદાતા ગુરૂને સર્વ પ્રકારે આત્મસમર્પણ કરવું.” પરીક્ષા શી રીતે થાય? 'દીક્ષાના અભિલાષી બનેલા સ્વતંત્ર ઉમ્મરના આત્માઓ પૈકીના કેટલાક સુપરિચિત આત્માઓ પણ હોય છે. સુપરિચિત આત્માઓ માટે તે ખાસ કરીને પૂછવા–કહેવાનું પ્રાયઃ નથી હોતું, કારણ કે–તેની યોગ્યતા કે અયોગ્યતા નિશ્ચિત જેવીજ હોય છે. હવે જે આત્માઓ અપરિચિત હોય છે તે આત્માઓ માટે ખાસ વિધાન છે અને એ વિધાનનું વર્ણન કરતાં શ્રી ધર્મસંગ્રહમાં મહામહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર ફરમાવે છે કે – ૨–“ સાધુવાણા, પરીક્ષા તા . सामायिकादिसूत्रस्य, चैत्यनुत्यादि तद्विधिः॥१॥" "सद्धर्म कथाक्षिप्ततया प्रवज्याऽऽदानाभिमुख्यमागतो भव्यजन्तुः पृच्छनीयो यथा-को वत्स ! त्वं ? किं निमित्तं वा प्रव्रजसि ?, ततो यद्यसौ कुलपुत्रकस्तगरानगरादिसुन्दरक्षेत्रोत्पन्नः सर्वाशुभोद्भवभवव्याधिक्षनिमित्तमेवाहं भगवन् ! प्रवजितुमुद्यत इत्युत्तरं कुरुते तदाऽसौ प्रश्नशुद्धः, स च दीक्ष्योऽन्यस्तु भजनीय इति प्रसङ्गतो ज्ञेयं, થતા પાવર-- For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy