SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ કરી દીક્ષા આપે તેને નિષ્ફટિકા દેષ કહેવાય છે. સ, માલીકની રજા વગર દીક્ષા આપે તો ચોરી કહેવાય એવું લખ્યું છે, તો તેની દીક્ષા આપવાથી પાપ લાગેને? જ. ઉંમરલાયક હોય તેને દીક્ષા આપે ત્યાં સાધુને પાપ લાગતું નથી. કારણ કે-દીક્ષા લેનારની ભાવના તમને રખડાવવાની હોતી નથી, પણ પોતાના આત્માનું હિત સાધવાની જ હોય છે. સે લગ્ન કરતી વખતે વચન આપવામાં આવે છે, અને પછી દીક્ષા લે તે વચનનો ભંગ થાય અને તેથી પાપ લાગેને ? જ. તે મુજબના વચન ભંગથી દેપ લાગતો નથી, કારણ કે--જૈનકુળમાં જન્મેલા છોકરા યા છોકરીની જન્મથી જ એવી ભાવના હોવી જોઈએ કે-જ્યાંસુધી આ સંસારનો ત્યાગ ન કરું, ત્યાંસુધી ઠગા છું એમ માને. સવ અવતાર લેવામાં જ ઠગાયો છું એમ ન માને ? જ. ના. ઉપર મુજબ કહ્યું તેમજ માને. સ. શાસ્ત્રનો આધાર બતાવો. જ તે સંબંધી શ્રાદ્ધવિધિ પાને ૧૮૧ માં લખેલું છે. સેવ શ્રાદ્ધ એટલે ? જ શ્રાવક, સ, તેના કર્તા કોણ છે? જ શ્રી ધનેશ્વરસૂરિજી. સ. એનો અર્થ એમ નથી થતો કે-દરેકે દીક્ષા લેવી! જ૦ ના. આ તો મૂળ ધ્યેય છે અને તે સર્વ કેઈએ રાખવું જોઈએ. સ એવું ધ્યેય ન હોય તો જીવવું નકામું ને ? જ હા. તે પોતાનો ઠગા માને, એટલે કે -વિષયવાસનામાં ફસાઈ પડ્યો છું, તેમાંથી કયારે છુટું, એવી ભાવના અવશ્ય હોવી જોઈએ. સ. એવી રીતે ગાવું શા માટે પડે ? બધાએ સાધુ બની જાય. આત્મ સાધન કરે, જેથી મોક્ષ મળે. જ. એ કહેવાની યોગ્યતા સાધુઓને જ હોય છે, તેથી તેઓ ઉપદેશ આપે છે કે આ સંસાર વિષયવાસનાથી ભરેલો છે માટે છોડવો જોઈએ. અને એવો ઉપદેશ આપવો એ એમનું કર્તવ્ય છે. જે એવો બોધ ન આપે તો સાધુ સાધુજ ન કહેવાય. સ, બધાંજ જે દીક્ષા લે અને પાળે, તે તો જૈનો પણ ન રહે અને સાધુઓ પણ ન રહે. જ દીક્ષા લે તે બધાંજ મોક્ષમાં પહોંચી જાય એમ નથી બનતું. કદાચ For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy