SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજના નૈસર્ગિક ઉત્પત્તિ ૨૧ v ૧૪ *./ અર્થશાસ્ત્રી જે એડમ સ્મિથ, રિક, માલ્વસ, જેન ટુઅર્ટ મિલ બાસ્ટીઓ વગેરેના મતોનું આત્યંતિક સ્વરૂપ જનતત્વજ્ઞ મેકસ સ્ટર્નરના મનમાં પ્રદર્શિત થાય છે તે અત્યંત આવેશથી કહે છે કે, હું જ અસ્તિત્વમાં છું, બાહ્ય જગત હું જ છું અને મારું ધ્યેય પણ હું જ છું; (ego is m ego, I am myself, my object is myself aud my aim is myself. ) 311 4512411 અહંભાવની કપના હાલે નીતિશાસ્ત્રમાં વ્યાપી રહી છે એ વાત આપણી તરફના સમાજસુધારકે પણ કબુલ કરે છે. આ થા સમાજરચનાનો પહેલે ટપે. બીજે પ એ કે સર્વ માણસેએ એક દિવસ એકઠા મળી કરાર કર્યો. તેઓએ એમ નક્કી કર્યું કે, આપણને જે કંઈ નૈસર્ગિક હક્કો પ્રાપ્ત થયા છે તે થોડા ઓછા કરી, તે બધા કેઈપણ વ્યક્તિને અગર વ્યકિતઓને રાધીન કરીએ અને આ હકદાનના બદલામાં તેઓ આપણું રક્ષણ કરે. પરંતુ કરાર કર્યો એવી કલ્પના માન્ય કરવાની સાથે જ એ પ્રશ્ન ઉભો થયો છે કે તે વખતે આધિદૈવિક ( Divine ) આધ્યામિક (metaphysical ) અને અધિભૌતિક ( physical ) એમ એંગસ્ટક તે જે ત્રણ ટપાઓ નક્કી કર્યા છે, તેમાંના કયા ટપામાં સમાજ હતો ? આ સામાજિક કરારની બાબત જે અત્યંત પ્રાચીન કાળમાં બની હોય તો સમાજ રક્ષણ થાય એ હેતુથી નવા કરાર કરનારો માનવી વ્યક્તિસુખ માટે કરેલા કરારનું ઉલ્લંઘન કરનારા વીસમી સદીના માનવી કરતાં વધારે સુધરેલ હતો એમ માનવું પડશે! ઠીક, એકંદરે આવા કરારથી માનવ સમાજબાહ્ય, વ્યકિત પ્રધાન જગલી સ્થિતિમાંથી સમાજમાં આવીને બેઠે ખરે ! ત્રીજે છે એ કે વ્યક્તિએ કરાર પાળા જ જોઈશે એ સ્થિતિ ઉપજાવવા માટે કોઈ પણ શાસનકર્તા જોઈએ. તેથી દરેક વ્યક્તિએ પિતાની સત્તા છેડી ડી ઓછી કરી, તેને એકત્ર કરી અને તે સર્વ 1 Types of economic theory by Othmar Spuan. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy