SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદ્ઘાત. બીજાથી જૂદા પડતા હતા, પણ જ્યાં અર્થના તફાવત ન હોય ત્યાં તેમણે એક શુદ્ધ પાર્ક પસંદ કરી બીજા છેડી દીધા હતા; પરંતુ જ્યાં અર્થના તફાવત માલમ પડયા ત્યાં જે પાઠ ઘણી પ્રતેામાં મળતે આવ્યા તે રાખી લેઇ બીજો પાઠ ફૂટ નોટમાં પ્રતાાંતર તરીકે અતાવ્યા છે. પાડાંતર બતાવવામાં વિનેદલાલસેનવાળી પ્રત તેમને પ્રથમ મળી હતી માટે તેને તેમણે પેહેલી પ્રત ગણી છે; વૈદ્ય ધનશ્યામવાળી એ પ્રતામાંથીએકને બીજી અને ખીજીને ત્રીજી પ્રત ગણી છે; તથા વૈદ્ય જગન્નાથવાળી પ્રતને ચેાથી પ્રત ગણી છે કેમકે તે ગ્રંથના પાછલેા ભાગ લખાતી વખતે મળી આવી હતી. ભાષાંતર કરવામાં આવા અશુદ્ધ ગ્રંથાને લીધે રા. રા. ટાલાલ નરભેરામને જે મુશ્કેલી પડી હશે તે માત્ર 'जळामध्ये मासा झोप घेतो कैसा ॥ जावे त्याच्या वंशा, तेव्हां ∞” એ કહેવત પ્રમાણે તેવાં કામ કરનારનેજ તે પૂરતી રીતે સમજાઇ શકાશે. કોઇ કોઇ વાર અંધી પ્રતામાં એક પાઠ જૂદી જૂદી રીતે અશુદ્ધ માલમ પડતા ત્યારે તેમના મત સાથે કેટલાક વૃદ્ધુ વૈઘોના અનુમત મેળવી તેમને લખવાની જરૂર પડતી. અને આવી રીતે થવાથી ધાર્યા કરતાં કાળક્ષેપ વિશેષ થયેા છે. ટૂંકામાં હારિત સંહિતાના ગ્રંથને ઘણી પ્રતા મેળવી સંોધન કરી શુદ્ધ કરવામાં તથા તેનું ભાષાંતર પણ જેમ બને તેમ યથાર્થ કરવા તરફ રા. રા. ઘેટાલાલ નરભેરામ ભટ્ટે પૂરતી ફાળજી રાખેલી છે, જેથી આ ગ્રંથના સારા ઉપયોગ થવાની આ રાખવામાં આવે છે. આ પ્રસ્તાવના પૂરી કરતાં પેહેલાં આવા ગ્રંથા વાંચનારને એ એલ કહેવા ઉચિત જણાય છે. વૈદ્યવિદ્યાના ગ્રંથા માત્ર વાંચીને વૈધ થવાની આશા રાખવી એ કેવળ હસવા જેવું છે. આવા ગ્રંથા વાંચવાથી વૈધ થવા સિવાય પણ ઘણા ઘણા પ્રકારના લાભ મનુષ્યને મળી - શકે છે એ અમે પૂર્વે કશુંજ છે, તથાપિ જેવી ઇચ્છા એમજ હોય કે મારે વૈધ થવું છે. તેણે તો કોઈ વિદ્વાન વૈદ્ય પાસે આવા ગ્રંથોના સાદ્યંત અભ્યાસજ કરવા જોઇએ; કારણ કે વૈદ્યક વગેરેના ગ્રંથામાં ગ્રંથકાર ઘણી વાર પોતાને અનુભવથી કે અતિપરિચયથી સેહેલે થઇ પડેલા વિષય બીજાને પણ સેલાજ હશે, એવા ભ્રમથી ટુંકાવી નાખે છે કે બિલકુલ છેોડી દે છે. એવા પ્રસંગે સ્વબુદ્ધિથી કેવળ પુસ્તક ઉપરથી થયેલે વૈધ ગુંચાય છે અને પ્રસંગ પડતાં ગમે તેવાતર્ક કરી કાંઇને હામે કાંઈ ફરી બેસે છે. આ હાતિમાંથી બચવાને તેણેગુરૂદ્વારા જ્ઞાન મેળવવું જરૂરનું છે, અને તેમ કરવામાં તેને આવાં પુસ્તકો અતિ ઉપયોગી થશે. પ્રસિદ્ધ કર્તા. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy