SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. ક હાથ લાગ્યા હોય તે બીજી વખત હાથ ન પણ લાગે, અને એક વખત જે લેક તેમાં ન જવામાં આવ્યા હોય તે જોવામાં પણ આવે. ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમાનંદને થઈ ગયે કાંઈ બહુ વર્ષ થયાં નથી, કદાચ ૨૫૦ કે તે લગભગ વર્ષ થયાં હશે તો પણ તેના ઓખાહરણની શી અવસ્થા થઈ છે તે જુઓ. એક પ્રત જ્યારે દર કડવાંની હાથ આવે છે ત્યારે બીજી પ્રત 9 કવાની અને ત્રીજી પ્રત ૬૮ કડવાની તો જેથી પ્રત ૪૨ કડવાંની અને વળી પાંચમી પ્રત ફક્ત ર૭ કડવાંની જ મળી આવે છે. આ બધામાંથી પ્રેમાનંદ વિરચિત મૂળ પ્રત કયી હશે તે મોટા સંશયની વાત થઇ પડે છે. કઈ એમ માને છે કે સૌથી ઓછાં કડવાંની પ્રત મહાકવિએ લખેલી હેવી જોઈએ અને પાછળથી બીજા કવિઓએ તેમાં ઉમેરે કરવાથી કડવાને વધારો થયેલો હોવો જોઈએ; કોઈ એમ કહે છે કે ૪૨ કડવાંની પ્રત તેની લખેલી છતાં પાછલા કવિઓએ દોઢ ડાહાપણ કરીને તેમને નીરસ લાગેલાં કડવાં ગાળી નાખેલાં હોવાં જોઈએ; કાઈ કહે છે કે નવ દિવસમાં વેચાઈ રહે તેટલું ટૂંકું કરવા માટે કેટલાંક કડવાં પાછળથી બીજા કવિઓએ ઓછાં ક્યાં હશે. જોતિષના બાળબોધ નામે ગ્રંથની પણ એજ દશા છે. આવી જ રીતે કદાચ આત્રેય સંહિતાનું પણ થયું હોય તે કબીર વડના થડની પડે તે આજના શોધકને ભમાવનારું થાય ખરું. આ ગ્રંથનું ભાષાંતર કરવા માટે વડોદરાના નિવાસી રા, રા, ટાલાલ નરભેરામ ભટને વિનવતાં તેમણે હારત સંહિતાની પાંચ પ્રત એકઠી કરી હતી, જેમાંની બે બંગાળામાં વિદલાલસેને એડિટ કરી છપાવેલી હતી. એક પ્રત વડેદરાના વૈદ્ય જગન્નાથ પ્રાણશંકર પાસેથી લખેલી સંપૂર્ણ મળી હતી, તે સંવત ૧૭૪૫ ની સાલમાં કુંદેલા ગામમાં લખાયેલી હતી. બીજી બે પ્રતે શ્રીમંત ગાયકવાડ સરકારના વિદ્ય બાપુભાઈ લક્ષ્મીરામના ચિરજિવ ઘનશ્યામ વિદ્ય પાસેથી મળી હતી, તેમાંની એક પ્રત સંવત ૧૫ ને સૈકામાં લખાયેલી હતી અને બીજી તૂટક હેવાથી સાલ જાણવામાં આવી નથી તથાપિ તેપણ તેટલી જ જુની હશે એમ તેના લેખ ઉપરથી માલુમ પડતું હતું. વિનોદ લાલસેનની પ્રતે મારી તરફથી મોકલી આપી હતી. તે જે કે અમે સુધારેલી હતી તથાપિ તે ઘણી જગાએ અશુદ્ધજ હતી. વૈદ્ય ઘનશ્યામવાળી બે પ્રતે પણ લેખક દોષવાળી હતી તથાપિ વિનેદ લાલસેનની છાપેલી પ્રતે કરતાં તે ઠીક હતી. વૈદ્ય જગન્નાથવાળી પ્રત સે કરતાં કીક હતી તથાપિ અશુદ્ધતા તે તેમાં પણ હતી પરંતુ આમ ચાર પાંચ પ્રતો મળી આવવાથી તે ઉપરથી એક નવી સુધારેલી પ્રત ઉત્પન્ન કરવાને ભાષાંતર કર્તાને કેટલીક રીતે અનુકૂળ પડવું. મેળવેલી પ્રતાના પાઠ ઘણી જગાએ એક For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy